________________
૨૮
સંબોધ પ્રકરણ ગાથાર્થ આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની ઇચ્છાનુલોમા, અનભિગ્રહીતા, અભિગ્રહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા પ્રવૃત્તિને ધારણ કરનારા આ બાર ભેદો અસત્યામૃષા ભાષાના છે.
વિશેષાર્થ– ૧. આમંત્રણી– કોઈને આમંત્રણ કરવા માટે બોલવું તે.. જેમ કે- હે દેવદત્ત !” ઈત્યાદિ આમંત્રણી ભાષા કહેવાય. આ ભાષા સત્યા, અસત્યા કે સત્યાસત્યા પણ નથી, કિન્તુ ત્રણેયથી ભિન્ન (વિલક્ષણ) માત્ર વ્યવહારમાં ઉપયોગી છે, એથી એને “અસત્યાઅમૃષા' કહી છે, એમ ભાવાર્થ સમજવો. ૨. આજ્ઞાપની જેમ કે- તું આ કાર્ય કર' વગેરે બીજાને કામમાં જોડવા માટે આજ્ઞાવચન બોલવું તે. ૩. વાચની– કોઈ બીજાની સામે “તું અમુક આપ ઇત્યાદિ યાચના માટે બોલવું તે. ૪. પૃચ્છની– જેમ કે-“અમુક વસ્તુને જાણતો ન હોય કે : અમુકને અંગે સંદેહ હોય, તેવા પ્રસંગે જાણવા માટે બીજાને “આ કેમ છે ? (અથવા આ આમ કેમ છે ?)' વગેરે પ્રશ્નરૂપે બોલવું તે. ૫. પ્રજ્ઞાપની– શિષ્ય વગેરેને ઉપદેશ દેવા બોલવું તે. જેમ કે હિંસાની વિરતિ કરવાથી આયુષ્ય લાંબુ ભોગવાય છે.' ઇત્યાદિ ઉપદેશવચનને પ્રજ્ઞાપનીભાષા કહેવાય. ૬. પ્રત્યાખ્યાની– કોઈ કંઈ માગે, પૂછે, ઇત્યાદિ પ્રસંગે નિષેધ કરવા બોલવું તે. ૭. ઈચ્છાનુલોમા- બીજાની ઇચ્છાને અનુસરતું બોલવું તે. જેમ કે–કોઇ મનુષ્ય અમુક કામ કરવાની ઈચ્છા પ્રગટ કરે, ત્યારે તેને ‘તમે એ કામ કરો ! મારી પણ એ ઇચ્છા છે' વગેરે કહેવું તે. ૮. અનભિગ્રહીતા- પદાર્થનો જેનાથી નિર્ણય (પ્રશ્નનું સમાધાન) ન થાય તેવું બોલવું. જેમ કે-ઘણાં કાર્યો જ્યારે કરવાના હોય, ત્યારે કોઈ પૂછે કે-બધું કાર્ય કરું?” ત્યારે તેને “જે ઠીક લાગે તે કરો' એવું નિર્ણય વિનાનું બોલવું તે. ૯. અભિગ્રહીતા– જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણાદિ મળે તેવું બોલવું, જેમ કે–“આ કાર્ય હમણાં કરવાનું છે, આ (અમુકી નથી કરવાનું' વગેરે સ્પષ્ટ જણાવવું તે અથવા બીજી રીતે “અનભિગ્રહીતા' એટલે જ્યારે કોઈ પદાર્થ ન સમજાય, ત્યારે તેનો નિર્ણય કર્યા વિના “આ વૃક્ષનું ઠુંઠું છે' (સમજણના અભાવે “કંઈક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org