SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ - સંબોધ પ્રકરણ હોય, તો તેમાં લીધેલું બીજું શુદ્ધ ભોજન પણ ન કલ્પે, કારણ કે-ઝેરના કણિયાની જેમ અવિશોધિકોટીનો અવયવ પણ સહસઘાતી છે.” ઉપર કહ્યા તે દશ સિવાયના શેષ દોષો વિશોધિકોટી જાણવા. કહ્યું છે કેउद्देसिअंमि नवगं, उवगरणे जं च पूइअं होइ । જાવંતિમ મીસરાય, મોગરણ મ પહમ પડ્યું છે ? परिअट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इअ । अच्छिज्जे अणिसिद्धे, पाओअरकीअपामिच्चे ॥ २॥ . सुहुमा पाहुडिआ वि अ, ठवियगपिंडो अ जो भवे दुविहो । सव्वोवि एस रासी, विसोहिकोडी मुणेअव्वो ॥३॥ (fપve૦િ ૦૩૧૪-ટીલા) ભાવાર્થ– “દેશિકના નવ ભેદો, ઉપકરણ પૂતિકર્મ, વાવર્થિક મિશ્રજાત અને યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છિઘ, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રિતિ, પ્રામિત્વક, સૂર્મપ્રાકૃતિકા અને બે પ્રકારની સ્થાપનાપિંડ, એ સર્વ દોષસમૂહ વિશોધિકોટી જાણવો.” એ દોષોમાંનો કોઈ પણ દોષવાળા ભોજનનો દોષિત અંશ જુદો કાઢયા પછી બાકીનું નિર્દોષ (શુદ્ધ) ભોજન શુદ્ધ ગણાય છે, અર્થાત્ વાપરવું કહ્યું છે. કહ્યું છે કે सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जहा पडिअं । असढो पासइ तं चिअ, तओ तया उद्धरे सम्मं ॥ (fપuવિશુદ્ધિ-૧૧) ભાવાર્થ– “બાકીની વિશોષિકોટી છે. તેનો અવયવ (અંશ જેમાં) જેટલો લાગ્યો હોય તેને મુનિએ અશઠ (શુભ) ભાવથી જાણીને (ઓળખીને), તેટલો અંશ જ દૂર (સંપૂર્ણ જુદો) કરીને કાઢી નાંખવો.” ૧. જેમ તીવ્ર ઝેર ખાવાથી એક મરે, તેના માંસથી બીજો, તેનું માંસ ખાવાથી ત્રીજો, એમ પરંપરાએ હજાર મરે, તેમ અવિશોધિકોટીથી મિશ્રિત (દૂષિત) આહારાદિ એકથી બીજા ઘેર, ત્યાંથી ત્રીજા ઘેર, એમ હજાર ઘરો સુધી જો જાય, તો પણ બીજા શુદ્ધ પિંડને તે દોષિત બનાવે છે, અર્થાતુ તેના માલિકો જો બદલાય, તો પણ તે આહાર નિર્દોષ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy