________________
૨૭૬ :
સંબોધ પ્રકરણ પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક હોતો નથી.
(૨) અપ્રત્યાખ્યાન–જે કષાયો (દશ) વિરતિને રોકે, કોઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાનનો અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સમજતો હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતો નથી.
(૩) પ્રત્યાખ્યાનાવરણ– જે કષાયો સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ=પડદો કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે. પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતો હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી.
(૪) સંજ્વલન જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. સંજવલન એટલે બાળનાર મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળ=મલિન કરે તે સંજવલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (જિનેશ્વર ભગવંતોએ એવું કહ્યું છે તેવું) ચારિત્ર પ્રાપ્ત થતુ નથી, તુિ અતિચારોથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ– અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાત (નિરતિચાર) ચારિત્રને રોકે છે.
૧૬ ઉગમદોષ. ૧. આધાકર્મ, ર. દેશિક, ૩. પૂર્તિકર્મ, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬. પ્રાભૃતિકા, ૭. પ્રાદુષ્કરણ, ૮. ક્રીત, ૯. પ્રામિત્યક, ૧૦. પરાવર્તિત, ૧૧. અભ્યાહત, ૧૨. ઉભિન્ન, ૧૩. માલાપહત, ૧૪. આછિદ, ૧૫. અનિસુખ અને ૧૬. અધ્યવપૂરક, એમ પિંડ લાવવામાં સોળ દોષો લાગે છે. તેમાં– ૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાત્ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવાનો
ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયોનો ઉદય ન હોય ત્યારે જ યથાખ્યાત ચારિત્ર આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org