________________
૨૨૮
સંબોધ પ્રકરણ વિપરીતતા (ખોટાપણું) જણાવવા (કબૂલવા) માટે શ્રી જિનવચનના મર્મને જાણનારા મુનિઓ મિથ્થાકાર' કહે (કરે) છે. અર્થાત્ “આ મિથ્યા છે એમ જણાવે છે-કબૂલ કરે છે. ૩. તથાકાર- ‘તે રીતે જ કરવું તેને તથાકાર કહેવાય છે. સૂત્ર (અર્થ વગેરેના વ્યાખ્યાન પ્રસંગે) તથા પ્રશ્નના સમાધાન વગેરેમાં “આપે છે જેમ કહ્યું, તે તેમ જ છે એમ સામાને જણાવવા માટે તથાકારનો પ્રયોગ કરાય છે. ૪-૫. આવેશ્યિકી-નૈધિકી– અવશ્ય કરણીય અને અકરણીય કાર્યોને અંગે જે સામાચારી (વર્તાવ), તેને અનુક્રમે આવેશ્યિકી અને નૈધિક કહેવાય છે. તેમાં જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે અવશ્ય કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ કે તેવા કોઈ પ્રયોજને ઉપાશ્રય વગેરે પોતાના સ્થાનથી બહાર જવાની ક્રિયાને તથા તેને સૂચવનાર શબ્દોચ્ચારને પણ “આવશ્યક કહેવાય છે. તથા અસંવૃત્ત (અજયણાવાળાં) શરીરનાં ગાત્રોની (શારીરિક) ચેષ્ટાને રોકવા માટે જે કરાય તેને અથવા તેવી ચેષ્ટાને રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય વગેરે પ્રવૃત્તિને અને તેનું સૂચન કરનાર શબ્દોચ્ચારને પણ “નૈધિકી' કહેવાય છે. ૬. આપૃચ્છા – એમાં “આ અવ્યય છે, તેના મર્યાદા અને અભિવિધિ’ એમ બે અર્થો થાય છે. તેમાં મર્યાદા વડે એટલે તથાવિધ વિનયપૂર્વક. અભિવિધિવડે એટલે નાનામોટા કોઈ પણ પ્રયોજને (સર્વ કાર્યોમાં) ગુરુને પૃચ્છા' એટલે પૂછવું, તેને “આપૃચ્છા' સામાચારી કહી છે. ૭. પ્રતિપૃચ્છા-પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છા. ગુર્વાદિએ “આ કામ તારે કરવું એ પહેલાં કહ્યું હોય, તે જ કામ કરતી વખતે કરનારે કામ ભળાવનારતે ગુવદિને “હું તે (આપે કહેલું) કામ કરું છું’ એમ પુનઃ પૂછવું, તેને પ્રતિપુચ્છા કરી છે. આ પ્રતિપૃચ્છા એ કારણે જરૂરી છે કે-કોઈ વાર એ કામને બદલે તેઓ બીજું કામ જો કરવાનું કહેવાના હોય, અથવા પહેલાં કરવાનું કહ્યા છતાં તેનું પ્રયોજન ન હોય, તો નિષેધ કરવાનો હોય, અગર તો એક વાર ગુરુએ ના કહી હોય છતાં કરનારને તે કામનું પ્રયોજન હોય તેથી પણ પુનઃ ૧. જેનાથી અશુભ કર્મોનો બંધ થાય તેવી શારીરિકચેષ્ટાને રોકવી, બહાર ગયેલાએ તેને રોકવા
માટે પોતાના નિવાસસ્થાને (ઉપાશ્રયમાં) આવી જવું કે તેના અર્થને જણાવનાર શબ્દોચ્ચાર કરવો, એ દરેક અશુભ પ્રવૃત્તિનો નિષેધ (રોકાણ) કરવા માટે હોવાથી, તેને “વૈષેલિકી કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org