SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ૨૨૪ - (મેળવવાનું) જ્ઞાન હોય, ૨. પાટ-પાટલા વગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હોય, ૩. સ્વાધ્યાય, ભિક્ષા, ભોજન વગેરે તે તે કાર્યો કરવાના તે તે સમયનું જ્ઞાન હોય અને ૪. નાના-મોટા, યોગ્ય-અયોગ્ય વગેરે કોણ સાધુ કોને વંદનીય છે, વગેરે વિનય સંબંધી જ્ઞાન હોય. ગૃહસ્થને દ્રવ્યસંપત્તિની જેમ આચાર્યને જો આ આઠ પ્રકારની ભાવ(ગુણ)સંપત્તિ હોય, તો જ ગચ્છનું પાલન-રક્ષણ કરીને ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરી-કરાવી શકે, માટે તેને સંપત્તિ કહી છે. તેના વિના દરિદ્રના કુટુંબની જેમ સર્વ સાધુઓનું સંયમજીવન સિદાય અને એ માટે આચાર્ય જવાબદાર હોવાથી તેનું ભવભ્રમણ વધે, ઇત્યાદિ યથામતિ સ્વયં વિચારવું. ૯ નવકોટિ વિશુદ્ધ અશનાદિ સઘળી પિંડૈષણા સંક્ષેપથી નવકોટિમાં આવી જાય છે. તે નવકોટિ સ્વયં હણે નહિ, બીજા પાસે હણાવે નહિ. કોઇ હણતું હોય તો તેની અનુમોદના ન કરે. સ્વયં પકાવે નહિ, બીજા પાસે પકવાડે નહીં, કોઇ પકાવતું હોય તો એની અનુમોદના ન કરે. સ્વયં ખરીદે નહીં, બીજા પાસે ખરીદાવે નહીં, કોઇ ખરીદતું હોય તો એની અનુમોદના ન કરે. એ રીતે થાય છે. (દ.વૈ.નિ.૨૪૨) ૯ ક્ષેત્રો હિમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્, દેવકુરુ, ઉત્તરકુરુ, ભરત, ઐરવત અને મહાવિદેહ. ૯ બ્રહ્મચર્ય અબ્રહ્મનો મન-વચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એ નવ ભાંગાથી ત્યાગ કરવો તે નવ પ્રકારે બ્રહ્મચર્ય છે. નવ કલ્પી વિહાર શેષકાળમાં એક એક માસકલ્પ એમ આઠ અને ચાતુર્માસનો એક એમ નવકલ્પી વિહાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy