________________
૨૧૪ .
સંબોધ પ્રકરણ (પ્રમુખ)–એ ચારેય જ્યાં હોય, તેવી ચતુરંગ સભામાં પરવાદીના પક્ષને અસત્યરૂપે સિદ્ધ કરીને પોતાના પક્ષને સત્યરૂપે સિદ્ધ કરવારૂપ કરવાની શક્તિવાળા (પૂ. શ્રીમલવાદિસૂરિ વગેરે) સમર્થ પુરુષો વાદી કહેવાય. ૪. નૈમિત્તિક-ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન ભાવોને જણાવનારા અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જાણ (પૂ. શ્રીભદ્રબાહુસ્વામિજી વગેરે) મહર્ષિઓને નૈમિત્તિક જાણવા. ૫. તપસ્વી-તપસ્વી એટલે આ લોક-પરલોકના પૌદ્ગલિક કોઇ સુખની અભિલાષા વિના સમતાભાવે જૈનદર્શનપ્રસિદ્ધ અટ્ટમ, અઢાઈ વગેરે ક્લિષ્ટ તપને કરનારા, સ્વશરીરમાં પણ નિસ્પૃહ (પૂ. શ્રીખંધકમુનિ વગેરે) મહાત્માઓને તપસ્વી પ્રભાવક સમજવા. ૬, વિદ્યાવાન– પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (પૂ. વજસ્વામિજી જેવા મહર્ષિ) વિદ્યાવાન કહેવાય. ૭. સિદ્ધ– આંખમાં અંજન કરીને પગે લેપ કરીને, કપાળે તિલક કરીને અથવા મુખમાં ગોળી વગેરે રાખીને દુષ્કર કાર્યો કરવાં, ભૂત વગેરેનું આકર્ષણ કરવું કે વૈક્રિયશરીરાદિ રચવું વગેરે અનેક દુઃસાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેઓએ સિદ્ધ કરી હોય, તે (પૂ. શ્રીકાલિકાચાર્ય મહારાજ જેવા) મહર્ષિને સિદ્ધપ્રભાવક સમજવા. ૮.કવિ-વિશિષ્ટ રચનાવાળા ગદ્ય કે પદ્ય કાવ્યો રચવાની શક્તિથી ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્યગ્રંથો રચનારા (પૂ. શ્રી સિદ્ધસેનસૂરિજી જેવા), જેઓ પોતાની તે રચનાથી રાજા-મહારાજાઓને પણ ધર્મી બનાવે તેવા પંડિતપુરુષો કવિ કહેવાય.
યોગના આઠ અંગ યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિએ આઠ અંગો છે. ૧.યમ–હિંસા સત્યાગ્નેયજ્ઞોપરિહા યમ (પાત.યો.દ.૨.સૂ. ૩૦) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. ૨. નિયમ– શૌર-સંતોષ-તપ
૨. ૧. જમણું, ડાબું વગેરે અંગોના ફુરણથી, ૨. શુભાશુભ સ્વપોથી, ૩. પશુ-પક્ષીઓ
આદિના સ્વરથી, ૪. ભૂમિકંપ વગેરેથી, ૫. શરીર ઉપરના મસ, તલ વગેરેથી, ૬. હાથ, પગ વગેરેનાં રેખા આદિ લક્ષણોથી, ૭. ઉલ્કાપાત વગેરે થવાથી અને ૮. ગ્રહોના ઉદય, અસ્ત વગેરે જયોતિષના બળથી, એમ આઠ નિમિત્તોથી ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને
જણાવનારું શાસ્ત્ર “અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર' કહેવાય છે. (કલ્પસૂત્ર) Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org