SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૬૭ મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ (રૂપ મિથ્યાત્વ)નો ઉદય અટકાવ્યો અને સમકિતપંજરૂપે વર્તમાનમાં ઉદિત મિથ્યાત્વ દલિકોમાંના મિથ્યા સ્વભાવને (રસને) દૂર કરવારૂપ ઉપશમ કર્યો એમ સમજવું. એમ ક્ષય અને ઉપશમ દ્વારા મિશ્રભાવને પામેલા, વર્તમાનમાં વેદાતા, રસરહિત એવા સમકિતમોહનીય નામના શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વના ઉદયને (તે ક્ષય-ઉપશમયુક્ત હોવાથી) લાયોપથમિક સમ્યકત્વ કહેલું છે.” આ સમ્યત્વને “સત્તામાં રહેલા મિથ્યાત્વના રસ રહિત પ્રદેશોના ભોગવટાવાળું' એટલે “સત્કર્મવેદક પણ કહેવાય છે. પશમિકમાં તો સત્તામાં રહેલા મિથ્યાત્વનો પ્રદેશોદય પણ હોતો નથી. પથમિકમાં અને ક્ષાયોપથમિકમાં એમ ભિન્નતા છે. કહ્યું છે કે वेएइ संतकम्म, खओवसमिएसु नाणुभावं से। उवसंतकसाओ उण, वेएइ न संतकम्मपि ॥१॥ (વિશેન્નાવ ૨૨૨૩) ભાવાર્થ– ક્ષયોપશમભાવને પામેલો જીવ ક્ષયોપશમભાવને પામેલા અનંતાનુબંધી આદિના(આદિશબ્દથી મિથ્યાત્વના પણ) સત્તાગત પ્રદેશોને ભોગવે છે, તેના રસને ભોગવતો નથી અને ઉપશમભાવને પામેલો (ઉપશાંત કષાયવાળો) જીવ સત્તાગત પ્રદેશોને પણ ભોગવતો નથી. ' ૪. વેદક– ક્ષપકશ્રેણિને (ક્ષાયિક સમકિતને) પ્રાપ્ત કરતાં જીવને અનંતાનુબંધી ચારેય કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયએ છનો સંપૂર્ણ ક્ષય થયા પછી, સમકિતમોહનીય (શુદ્ધ પુંજ)ને ખપાવતાં ખપાવતાં, તેનાં છેલ્લાં પુગલોને ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલો છેલ્લો ગ્રાસ ભોગવે, ત્યારે (લાયોપથમિકનો જ છેડો છતાં, તેના અંતિમ ગ્રાસનું વદન હોવાથી તેને “વેદક સમકિત” કહેવામાં આવે છે. (આ છેલ્લો રાસ ખપી જતાં જ દર્શનસપ્તકનો ક્ષય થવાથી અનંતર સમયે જીવ ક્ષાયિક સમકિતી બને છે.) કહ્યું છે કેवेअगमिअ पुव्वोइअचरमिल्लयपुग्गलग्गासं ॥ ભાવાર્થ– પૂર્વે જણાવેલા (ઉદયમાં વર્તતા સમકિતમોહનીયના) પુદગલોના છેલ્લા ગ્રાસનું વેદન, તેને વેદક સમકિત કહેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy