________________
દેવ અધિકાર
૮૩
કે પૂજામાં કથંચિત્ કાયવધ છે”, તેવું કહેત નહીં, પરંતુ “જો કે પૂજામાં નક્કી કાયવધ છે” તેમ કહેત. કથંચિદ્ કાયવધ છે એમ કહ્યું એનો અર્થ એ થયો કે કથંચિદ્ કાયવધ નથી.
આનાથી એ ફલિત થયું કે, પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનને પ્રમાણભૂત સ્વીકારીએ તો નક્કી થાય છે કે, વિધિશુદ્ધ પૂજામાં નિયમથી કાયવધ નથી, અને તેથી જ એ ફલિત થાય છે કે, વિધિની ખામીની અપેક્ષાએ પૂજામાં કાયવધ છે અને પરિપૂર્ણ વિધિપૂર્વકની પૂજામાં લેશ પણ કાર્યવધ નથી. માટે વિધિશુદ્ધ પૂજામાં લેશ પણ કર્મબંધ નથી, તેમ સ્વીકારવું જોઇએ. તેથી જિનપૂજા પહેલાં ષટ્કાયના વધથી થયેલી છે” ઇત્યાદિ ભાષા અસત્ય છે. (૧૨૦)
||
जम्हा वं पच्छा, सुहथिरजोगाणुकूलिणी भणिया । નહ સામૂળમહિલા, ન નાફ આવા ોવરદ્ ॥ ૨૨૨ ॥ यस्मात् पूर्वं पश्चात् शुभस्थिरयोगानुकूलिनी भणिता । યથા સાધૂનામહિંસા 7 યાત્યાપાર ॥ .. ............... ગાથાર્થ— કારણ કે પૂજા પહેલાં અને પછી શુભસ્થિરયોગને અનુકૂળ કહી છે, અર્થાત્ પૂજકના મન આદિ યોગો પહેલાં સ્નાન આદિ વખતે અને પછી પૂજા કરતી વખતે શુભ અને સ્થિર હોય છે. તેથી જેવી રીતે સાધુઓને આચારના વિષયમાં=કાયાદિથી પ્રવૃત્તિ કરવામાં અહિંસા થતી નથી=હિંસાનો અભાવ હોય છે, તેમ જિનપૂજકને પણ હિંસાનો અભાવ હોય છે.
વિશેષાર્થ– પૂજકને સ્નાન આદિ કરતી વખતે પણ શુભ ભાવ હોય છે. આથી જ પૂજા પંચાશકની ૧૧મી ગાથામાં કહ્યું છે કે—“સ્નાનાદિમાં ભૂમિને જોવી, જળ ગાળવું વગેરે યતના થાય છે. આ યતનાથી વિબુધ જીવોને વિશુદ્ધભાવ અનુભવસિદ્ધ છે.” આથી વિધિશુદ્ધ પૂજામાં પહેલાં પણ હિંસા નથી, અને તેથી કર્મબંધ નથી.”
,,
પૂજા કરતી વખતે પણ પુષ્પાદિની કિલામણા થવા છતાં પણ વિધિશુદ્ધ પૂજામાં પ્રમાદયોગનો અભાવ હોવાથી માત્ર દ્રવ્યહિંસા છે, ભાવહિંસા નથી. જેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનારા મુનિઓને અનિવાર્ય હિંસા થતી હોવા છતાં હિંસાનો અભાવ હોય છે, તેમ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org