________________
સંબોધ પ્રકરણ
૮૨
પૂજામાં વિધિની ખામીથી થતી યતનાની ખામીના કારણે અલ્પ પાપબંધ થાય, અને ભક્તિના ભાવથી ઘણી નિર્જરા થાય. પૂજાપંચાશકમાં કૂપદૃષ્ટાંતની ઘટના વિધિ અશુદ્ધ પૂજાની અપેક્ષાએ છે. વિધિશુદ્ધ પૂજામાં જરા પણ હિંસા ન હોવાથી અહીં વિશેષાર્થમાં જણાવેલી કુપ દૃષ્ટાંતની ઘટના વિધિશુદ્ધ પૂજાની અપેક્ષાએ છે.
પ્રશ્ન— વિધિશુદ્ધ પૂજામાં પુષ્પોની કિલામણા વગેરેથી હિંસા થતી હોવા છતાં વિધિશુદ્ધ પૂજામાં જરા પણ હિંસા નથી. એનું શું કારણ?
ઉત્તર– પ્રમત્તયોગાત્ પ્રાવ્યપરોપળ હિંસા (તત્ત્વાર્થ-૭-૮)=પ્રમાદયોગથી જીવનો નાશ તે હિંસા. વિધિશુદ્ધ પૂજામાં હિંસાનું આ લક્ષણ ઘટતું નથી. કારણ કે યતના હોવાથી પ્રમાદ નથી. વિધિશુદ્ધ પૂજામાં દ્રવ્યહિંસા છે. દ્રવ્યહિંસા કર્મબંધનું કારણ નથી. પ્રમાદથી થતી ભાવહિંસા એ કર્મબંધનું કારણ છે. (૧૧૯)
छक्कायवहसमुत्था, पुवं पच्छा उ विसुद्धकम्मफ़ला । इच्चाइ मुसा भासा, णेया भासाकुसीलाणं ॥ १२० ॥
षट्कायवधसमुत्था पूर्वं पश्चात् तु विशुद्धकर्मफला । ત્યાદ્રિ મૃષા ભાષા શેયા ભાષાશીનાનામ્ ॥ ૨૨૦ .............. ગાથાર્થ— જિનપૂજા પહેલાં ષટ્કાયના વધથી થયેલી છે, પછી વિશુદ્ધ કર્મના ફળવાળી છે, અર્થાત્ જિનપૂજામાં પહેલાં ષટ્કાયનો વધ છે, પછી (પ્રભુભક્તિના શુભભાવથી) પુણ્યકર્મનો બંધ થાય છે, ઇત્યાદિ ભાષાકુશીલોની ભાષા અસત્ય જાણવી.
વિશેષાર્થ— ૧૧૯મી ગાથામાં વિશેષાર્થમાં કહ્યું તેમ વિધિશુદ્ધ પૂજામાં ષટ્કાયનો વધ નથી.
જો પરિપૂર્ણ વિધિપૂર્વક ભક્તિના પ્રકર્ષથી ભગવાનની પૂજા કોઇ કરતું હોય, આમ છતાં પૂજાકાળમાં પુષ્પ ચડાવવાની ક્રિયા તથા જલ અભિષેકાદિ ક્રિયારૂપ હિંસાને દોષરૂપે સ્વીકારવામાં આવે, અને તેને આશ્રયીને પૂજામાં લેશ કર્મબંધ છે, તેમ સ્વીકારવામાં આવે તો પૂજા પંચાશક ગાથા-૪૨માં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે એમ કહ્યું કે, “જો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org