SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર भावत्थयस्स हेऊ, दव्वं हेऊत्तिसइओ णेयं । थलगामसिरा कूवा, दिटुंता तस्थिमे जाण ॥११९॥ भावस्तवस्य हेतुर्द्रव्यं हेतुरितिशब्दतो ज्ञेयम् । ગ્રામસિ ગૂપાન દત્તાત્ તવેનાનું નાની િ ૨૨૫ II ૨૨૨ ગાથાર્થ– દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ છે. જે ભાવનું કારણ હોય તે દ્રવ્ય. એવા દ્રવ્યશબ્દના અર્થ પ્રમાણે (શ્રાવકો દ્વારા કરાતી પ્રભુપૂજા) દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યસ્તવમાં (વાડી વગેરેની) ભૂમિમાં અને ગામોમાં રહેલા પાણીની સરવાળા કૂવાઓને દષ્ટાંત રૂપે જાણ. વિશેષાર્થ– કૂવાના દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે–સેરવાળા (જે ભૂમિમાંથી પાણીનો પ્રવાહ પ્રગટતો હોય તેવા) કૂવાઓ ખોદવાથી પાણીની પ્રાપ્તિ થતાં જેમ સ્વ-પર ઉપકાર થાય છે, તેમ વિશુિદ્ધ પૂજાથી સ્વ-પર ઉપકાર થાય છે. . પ્રશ્ન-પંચાશકસૂત્રમાં પૂજાપચાશકની ૪ર ગાથામાં કૂવાના દષ્ટાંતની ઘટના આ પ્રમાણે કરી છે–કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલા થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભભાવોથી પરિણામે લાભ જ થાય છે. પૂજા પંચાશકમાં બતાવેલી કૂવાની ઘટના અહીં વિશેષાર્થમાં બતાવેલી ટિનાથી જુદી જ છે. આનું શું કારણ? ઉત્તર- પૂજાના વિધિશુદ્ધ અને વિધિ અશુદ્ધ એમ બે પ્રકાર છે. તનાવાળી પૂજા વિધિશુદ્ધ છે. યેતનાની ખામીવાળી પૂજા વિધિઅશુદ્ધ ભૂજ છે. ભગવાનની ભક્તિમાં અનુપયોગી હિંસાનો ત્યાગ કરવાનો પ્રયત્ન =કાળજી) કરવો એ યતના છે. તેવા પ્રયત્નનો અભાવ અયતના છે. યતનાનો બોધ ન હોય એથી અથવા બોધ હોવા છતાં પ્રમાદ આદિના કારણે યતનાની ખામી રહે તેવી પૂજા વિધિ અશુદ્ધ છે. વિધિ અશુદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy