________________
૮૦ -
સંબોધ પ્રકરણ गीयत्थवयणणाहा, मग्गसणाहा सया जहिं किरिया। णिच्चं जिणझाणपरा, तवसंजमजोगसंजुत्ता ॥११६ ॥ गीतार्थवचननाथा मार्गसनाथा सदा यत्र क्रिया। . નિત્યં નિનધ્યાનપરાસ્ત :સંયમયો સંયુti: ll ૨૨૬ II ૨૨૬
ગાથાર્થ-જ્યાં( જે મુનિઓમાં) ક્રિયા સદા ગીતાર્થવચનના અનુસાર થાય છે, અને એથી જ માર્ગાનુસારી છે. તપ સંયમથી યુક્ત તે મુનિઓ સદા જિનધ્યાનમાં તત્પર હોય છે સદા જિનધ્યાનમાં રહેલા હોય છે. (કારણ કે ક્રિયા કરતાં ભગવાને આ ક્રિયા આ રીતે કરવાની કહી છે ઇત્યાદિ રીતે જિનોના સ્મરણ દ્વારા જિનના ધ્યાનમાં હોય છે.) (૧૧૬) तेसिं सव्वपयारा, भावत्थवओ हविज्ज जिणपूया। जइकरणे सयरित्ता, तग्गयसुहफलणुमोयणया ॥११७॥ तेषां सर्वप्रकारा भावस्तवतो भवेत् जिनपूजा। . તિરો સ્વયંશિસ્તત્તિશુધનાનુમોદનયા II ૨૧૭ | ... ૨૭
ગાથાર્થ– તે મુનિઓને ભાવસ્તવથી સર્વ પ્રકારની ભાવજિનપૂજા હોય છે. જેઓ સ્વયં સાધુ ક્રિયા કરવામાં અસમર્થ છે તેમને ભાવસાધુઓમાં રહેલા શુભ ફળની અનુમોદના દ્વારા ભાવપૂજા હોય. (શ્રાવકો કે સંવિગ્નપાક્ષિકો સ્વયં મુનિક્રિયાનું પાલન કરતા નથી. આમ છતાં શાસ્ત્ર પ્રમાણે ક્રિયા કરનારા મુનિઓના ચારિત્રની અનુમોદના કરવા દ્વારા ભાવપૂજાવાળા થાય છે.) (૧૧૭)
अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो, दव्वत्थए कूवदिटुंतो ॥११८ ॥ अकृत्स्त्रप्रवर्तकानां विरताविरतानामेषः खलु युक्तः । સંસાપ્રતનુણો વ્યસ્ત ફૂપદષ્ટન્તઃ II ૨૨૮ ૨૨૮
ગાથાર્થ– અપૂર્ણસંયમવાળા દેશવિરતિ શ્રાવકોને શુભકર્મના અનુબંધ દ્વારા સંસાર ઘટાડનાર દ્રવ્યસ્તવ સાક્ષાત્ જ કરવા યોગ્ય છે. આ વિષે કૂપનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. (૧૧૮) (પંચવસ્તુક ગા-૧૨૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org