________________
દેવ અધિકાર
૭૯ હિંસા ન લાગે. હવે જો યતના વિના જિનપૂજા કરે તો હેતુ અને સ્વરૂપ એ બંને હિંસા લાગે. પણ અનુબંધ હિંસા ન જ લાગે. કારણ કે હિંસાના ભાવ નથી, ભાવ તો જિનપૂજાના જ છે. પુષ્પાદિથી જિનપૂજા કરતી વખતે જીવોને સામાન્ય કિલામણા વગેરે હિંસા થવા છતાં પૂજકને પુષ્પાદિકના જીવો પ્રત્યે હિંસક ભાવ ન હોય, કિંતુ દયાભાવ હોય.
યતનાથી જિનપૂજા કરનારને હિંસાનો અનુબંધથતો નથી, અહિંસાનો અનુબંધ થાય છે. આ વિષે અધ્યાત્મસાર અધિકાર-૧૨ ગાથા-૪૮ અને ૫૦માં કહ્યું છે કેसतामस्याश्च कस्याश्चिद्, यतना भक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया, जिनपूजादिकर्मणि ॥ ४८ ॥
“યતનાપૂર્વક કરાતી જિનભક્તિથી શોભતા સપુરુષોના જિનપૂજાદિ કાર્યોમાં થતી હિંસાથી અહિંસાનો અનુબંધ થાય છે હિંસાથી પણ અહિંસાનું ફળ મળે છે.” साधूनामप्रमत्तानां, सा चाहिंसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद्, गुणोत्कर्षो यतस्ततः ॥ ५० ॥ “અપ્રમત્તમુનિઓની નદી ઉતરવા વગેરેની ક્રિયામાં થતી હિંસા અહિંસાનો અનુબંધ કરાવે છે. તેવી હિંસાથી હિંસાનો અનુબંધનો વિચ્છેદ થઈ જતો હોવાથી (અપ્રતિબદ્ધવિહાર વગેરે) ગુણોની વૃદ્ધિ થાય છે.” - જો આ પ્રમાણે હિંસા-અહિંસાના પ્રકારો ન સમજે અને કેવળ બાહ્ય અહિંસા જ જોવામાં આવે તો મુનિ પણ અહિંસક ન બની શકે. કારણ કે સૂક્ષ્મ હિંસા તો મુનિને પણ લાગે છે. જીવ વીતરાગ બને છે (સર્વજ્ઞ બને છે) ત્યાર પછી પણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સૂક્ષ્મ હિંસા ચાલુ હોય છે. જો બાહ્યથી કોઈ પણ જાતની હિંસા ન થાય તો અહિંસક ભાવ આવે એમ માનવામાં આવે તો એકેન્દ્રિય જીવો બાહ્યથી કોઈ હિંસા કરતા નથી. તેથી તે જીવો અહિંસક બનવા જોઈએ. પણ તેમ નથી.
માટે હિંસા-અહિંસામાં ભાવની (=ણેયની અને પરિણામની) પ્રધાનતા છે. જિનપૂજામાં સામાન્ય હિંસા થવા છતાં તેનાથી પરિણામે લાભ થાય છે. (૧૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org