________________
૭૮.
સંબોધ પ્રકરણ જોઇએ છે. સંસારસુખ માટે જે જીવો અહિંસાનું પાલન કરે તેને સંસારનાં સુખો મળે અને પરિણામે તે જીવો વધારે પાપ કરનારા બને એથી પરિણામે હિંસા વધે.
આથી સંસારસુખની પ્રાપ્તિ વગેરે દુન્યવી આશયથી અહિંસાનું પાલન કરનાર જીવો ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે અને કોઈ જીવ ન મરે એથી તેમને હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા હોય, પણ અનુબંધ અહિંસા ન હોય. આવી હતુ અહિંસાથી હિંસા વધવા દ્વારા દુઃખ વધે.
(૪) જેના અંતરમાં અહિંસાના પરિણામ થયા છે તે મુનિ વગેરે જીવો ઉપયોગપૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેમને ત્રણ પ્રકારની અહિંસા હોય છે. ત્રણમાંથી એક પણ પ્રકારની હિંસા ન હોય. (૫) હવે જો (જના અંતરમાં અહિંસાના પરિણામ છે) તે જીવ ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવ મરી જાય ત્યારે તેને હેતુ અને અનુબંધ એ બે અહિંસા હોય, પણ સ્વરૂપ અહિંસા ન હોય. અંતરમાં અહિંસાના પરિણામ છે માટે અનુબંધ અહિંસા છે. ઉપયોગપૂર્વક ચાલે છે માટે હેતુ અહિંસા છે. જીવ મરી જવાથી સ્વરૂપથી=બાહ્યથી હિંસા થઈ હોવાથી સ્વરૂપ અહિંસા નથી. (૬) હવે જો તે જીવ પ્રમાદના કારણે ઉપયોગપૂર્વક ન ચાલે, છતાં જીવ ન મરે તો અનુબંધ અને સ્વરૂપ એ બે અહિંસા હોય. પણ હેતુ અહિંસા ન હોય. કારણ કે હિંસાનો હેતુ (કારણ) પ્રમાદ રહેલો છે. આ જીવમાં અપ્રમાદ નથી, પ્રમાદ છે. (૭) હવે જો તે જીવ ઉપયોગપૂર્વક ન ચાલે અને જીવ મરી જાય તો તેને સ્વરૂપ અને હેતુ એ બે અહિંસા ન હોય, પણ અનુબંધ અહિંસા હોય. કારણ કે પ્રમાદ થઈ જવા છતાં અને જીવ મરી જવા છતાં અંતરમાં પરિણામ તો અહિંસાના જ છે. પ્રશ્ન- ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવો મરી જાય એ કેવી રીતે બને?
ઉત્તર– ઉડતા પતંગિયા વગેરે જીવો સહસા પગ નીચે આવી જાય ત્યારે અથવા સાધુ નદી ઉતરતા હોય વગેરે પ્રસંગે આવું બને. અહીં અનુબંધ અહિંસા હોય.
જે જીવ જિનવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનીને મોક્ષના આશયથી યતનાપૂર્વક જિનપૂજા કરે તેને માત્ર સ્વરૂપ હિંસા લાગે, હેત કે અનુબંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org