________________
૭૬ .
સંબોધ પ્રકરણ તેહિ એ છઠ્ઠી વિભક્તિ તૃતીયા વિભક્તિના અર્થમાં છે. સૈઃ સાધુ એવો અર્થ છે. (૧૧૪).
अणुबंधहेउरूवा, तिविहा हिंसा जिणेहिं निहिट्ठा । णिच्छयववहाराहिं, भासिज्जइ पवयणाणुगओ ॥११५ ॥ अनुबन्धहेतुरूपा त्रिविधा हिंसा जिनैनिर्दिष्टा । निश्चयव्यवहाराभ्यां भाष्यते प्रवचनानुगतो (? प्रवचनानुगता) ॥ ११५ ॥११५
ગાથાર્થ– જિનેશ્વરોએ અનુબંધ, હેતુ અને સ્વરૂપ એમ ત્રણ પ્રકારની હિંસા કહી છે. મુનિઓ નિશ્ચય-વ્યવહારથી શાસ્ત્રાનુસારી ભાષા બોલે છે.
વિશેષાર્થ– મૂર્તિપૂજામાં હિંસાનું પાપ ન લાગે- આજે કેટલાક હિંસાના નામે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે એ યોગ્ય નથી. જો સૂક્ષ્મદષ્ટિથી હિંસા અને અહિંસાને સમજવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય કે મૂર્તિપૂજામાં વાસ્તવિક હિંસા નથી. અહિંસાના અને હિંસાના હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકાર છે. ,
હેતુ અહિંસા– જયણા રાખવી, એટલે કે જીવો ન મરે તેની કાળજી રાખવી (=ઉપયોગ રાખવો), એ હેતુ અહિંસા છે. હેતુ હિંસા– જયણા ન રાખવી, એટલે કે જીવો મરે તેની કાળજી ન રાખવી (=ઉપયોગ ન રાખવો) એ હેતુ હિંસા છે. હેતુ એટલે કારણ, હિંસાનું મુખ્ય કારણ અજયણા છે. જીવો ન મરે તેની કાળજી ન રાખવી એ અજયણા છે. સ્વરૂપ અહિંસા-જીવો ન મરે કે જીવોને દુઃખ ન થાય તે સ્વરૂપ અહિંસા. સ્વરૂપ હિંસા– જીવો મરે કે જીવોને દુઃખ થાય તે સ્વરૂપ હિંસા. અનુબંધ અહિંસા-અનુબંધ એટલે પરિણામ. જે પ્રવૃત્તિથી પરિણામે અહિંસા થાય તે અનુબંધ અહિંસા. અનુબંધ હિંસા–જે પ્રવૃત્તિથી પરિણામે હિંસા હોય, જેનું ફળ હિંસા હોય, તે અનુબંધ હિંસા. હેતુ હિંસા અને હેતુ અહિંસામાં મારાથી જીવહિંસા ન થઈ જાય તેની કાળજી ( તેનો ઉપયોગ) છે કે નહિ તેની મુખ્યતા છે. સ્વરૂપ હિંસા અને સ્વરૂપ અહિંસામાં જીવો મર્યા છે કે નહિ તેની મુખ્યતા છે. અનુબંધ હિંસા અને અનુબંધ અહિંસામાં ધ્યેયની મુખ્યતા છે. એટલે અહિંસાનું પાલન કરવામાં ધ્યેય શું છે અને થઈ રહેલી હિંસામાં ધ્યેય શું છે તેની મુખ્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org