________________
""'GAMIT
દેવ અધિકાર
૭૫ વિશેષાર્થ– “શ્રેષ્ઠ પ્રીતિવાળું મન રાખવું” એમ કહીને પ્રીતિ અનુષ્ઠાનનો, “પ્રબલ ભક્તિ કરવી” એમ કહીને ભક્તિ અનુષ્ઠાનનો અને “જિનાજ્ઞામાં અતિશય પ્રયત્ન કરવો” એમ કહીને વચન અનુષ્ઠાનનો નિર્દેશ કર્યો છે. (૧૧૩) तब्मत्तीए भासा, पण्णवणी तेसिमविहिणिण्हवणी। संसयवुच्छेयकरणी, भासिज्जइ पवयणाणुगओ ॥११४ ॥ तद्भक्त्या भाषा प्रज्ञापनी तेषामविधिनिह्नवनी। संशयव्युच्छेदकरणी भाष्यते प्रवचनानुगतो (? प्रवचनानुगता) ॥ ११४ ॥११४
ગાથાર્થ તેઓ(=સાધુઓ) જિનભક્તિથી પ્રજ્ઞાપની, અવિધિનિહ્નવણી, સંશયગુચ્છેદકરણી અને શાસ્ત્રાનુસારી ભાષા બોલે.
વિશેષાર્થ– સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા એમ ચાર પ્રકારની ભાષા છે. તેમાં અસત્યામૃષા (=વ્યવહાર) ભાષાના બાર ભેદ છે. તેમાં પાંચમી પ્રજ્ઞાપની ભાષા છે. યોગ્ય જીવને ઉપદેશ આપવો તે પ્રજ્ઞાપની ભાષા છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમાની ભક્તિનો ઉપદેશ આપવો એ પ્રજ્ઞાપની ભાષા છે.
જિનપૂજાની અવિધિનો લોપ=નાશ થાય (વિધિ પ્રવર્ત) તેવી ભાષા અવિધિનિહ્નવણી ભાષા છે. અનેક અર્થવાળી ભાષા બોલે, જેથી સંશય ઉત્પન્ન કરે તેવી ભાષા સંશયકરણી છે. જેમ કે સેંધવ લાવવું એમ બોલે. અહીં સૈધવ શબ્દના સિંધાલુણ અને ઘોડો વગેરે અનેક અર્થો છે. તેથી સૈધવ શબ્દ બોલવાથી સંશય થાય કે શું લાવવું? આવા પ્રકારના સંશયનો વિચ્છેદ કરે તે સંશયગુચ્છેદકરણી ભાષા છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમા પૂજનીય છે કે નહિ? એવા સંશયનો નાશ કરનારી ભાષા બોલે. | મુદ્રિત પ્રત અને મારી પાસે રહેલી હસ્તલિખિત પ્રત એ બંનેમાં શિનાવરાનુગ્રો એવો જ પાઠ છે. પણ ભાષા પ્રથમા એકવચનમાં છે. માણિજ કર્મણિ પ્રયોગ છે. એટલે પ્રવદનાનુ અને મારા એમ બે પ્રથમાએકવચનમાં હોય તો અર્થનો મેળ બેસે નહિ. આથીyવેદનાનુસા એમ કરવાથી ભાષાનું વિશેષણ બની જાય, એથી અર્થનો મેળ બેસી જાય. તેથી અહીં પ્રવેવનાનુગા એવા પ્રયોગના અનુસારે અર્થ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org