SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– મંગલદ્રવ્ય, નિધિદ્રવ્ય અને શાશ્વતદ્રવ્ય આ બધા શબ્દો એકાર્થવાચી છે. તે દ્રવ્ય આશાતનાના ત્યાગપૂર્વક યુતનાથી અવશ્ય રાખવું. (૯૬) ૬૮ जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । वहू॑तो जिणदव्वं, तित्थयरत्तं लहड़ जीवो ॥ ९७ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । वर्धयन् जिनद्रव्यं तीर्थकरत्वं लभते जीवः ॥ ९७ ॥ ९७ ગાથાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણાને પામે છે. વિશેષાર્થ વૃદ્ધિ કરતો=નવું નવું દ્રવ્ય નાખીને (=ઉમેરીને) વૃદ્ધિ કરતો. તીર્થંકરપણું– શ્રમણોની પ્રધાનતાવાળા ચાર પ્રકારના સંઘને સ્થાપવો તે તીર્થંકરપણું છે. (૯૭) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ भणिओ ॥ ९८ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान - दर्शनगुणानाम् । રક્ષન્ નિનદ્રવ્ય પરિત્તસંસારિકો મળતઃ ।। ૧૮ । ...................... . ૧૮ ગાથાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવકને પરિત્તસંસારી કહ્યો છે. વિશેષાર્થ— જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર એટલે અરિહંત ભગવાને કહેલા શાસ્ત્રની ઉન્નતિ કરનાર. જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક– વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષાધર્મકથા એ જ્ઞાનગુણો છે. સમ્યક્ત્વનું કારણ એવા જિનયાત્રા વગેરે મહોત્સવો દર્શનગુણો છે. પ્રભાવક એટલે વિસ્તારનું કારણ. પરિત્તસંસારી– પરિમિત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરનાર. દેવદ્રવ્યનું રક્ષણ કર્યું હોય તો તેના ઉપયોગથી જિનમંદિરનાં કાર્યો ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામે છે. આથી ભવ્ય સંસારીજીવો અતિશય હર્ષ પામે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy