________________
દેવ અધિકાર છે, અને એથી મોક્ષનું અવંધ્ય કારણ એવાબોધિબીજ વગેરે ગુણોને પામે છે. તથા (જિનમંદિર હોય તો સાધુઓનું આગમન થાય.) જિનમંદિરના (=જિનમંદિરની નજીકમાં રહેલા નિવાસસ્થાનના) આશ્રયથી સંવિગ્ન ગીતાર્થ સાધુઓ સતત શાસ્ત્રોનું વ્યાખ્યાન વગેરે તે તે રીતે વિસ્તારથી કરે. એથી સમ્યજ્ઞાનગુણની અને સમ્યગ્દર્શનગુણની વૃદ્ધિ થાય.
આ પ્રમાણે દેવદ્રવ્યની રક્ષા કરનાર, મોક્ષમાર્ગને અનુકૂળ થયેલ અને જેના મિથ્યાત્વાદિ દોષોનો પ્રતિક્ષણ નાશ થઈ રહ્યો છે તે જીવનું પરીત્તસંસારીપણું ઘટે જ છે. (૯૮) जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । जिणधणमुविक्खमाणो, दुलहबोहिं कुणइ जीवो ॥९९ ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान-दर्शनगुणानाम् । નિધનમુક્ષમાળો તુર્તમોધ શોતિ નીવઃ ૨૨
I ૧૨ ગાથાર્થ-જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની ઉપેક્ષા કરનારો જીવ દુર્લભબોધિને પામે છે. (૯૯) जिणपवयणवुड्डिकर, पभावगं नाणदसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ भणिओ॥१०० ॥ जिनप्रवचनवृद्धिकरं प्रभावकं ज्ञान-दर्शनगुणानाम् । પક્ષન નિનકવ્યમનતસંસાર પશિતઃ II ૨૦૦ || ૨૦૦ ગાથાર્થ-જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે તેને અનંત સંસારી કહ્યો છે.
વિશેષાર્થ- જો દેવદ્રવ્ય હોય તો દરરોજ જિનમંદિરમાં પૂજા અને સત્કાર થાય, તથા (જિનમંદિર વગેરે હોય તો) સાધુઓનું આગમન થાય, તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે થાય, આ રીતે જિનશાસનની ઉન્નતિ થાય, અને એ પ્રમાણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય. (૧૦૦) (શ્રાદ્ધદિનકૃત્ય ગાથા-૧૪૨). जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । दोहंतो जिणदव्वं, दोहिच्चं दुग्गय लहइ ॥१०१ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org