________________
દેવ અધિકાર
૬૫
૫૧) છત્ર, પગરખાં, શસ્ર ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી, ૫૨. મનને એકાગ્ર ન રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું-ચોપડવું, ૫૪. સ્વ-ઉપયોગમાં આવતાં ફૂલ વગેરે ચિત્તને દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, ૫૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા, ૬૪. ગીલીદંડા રમવા, ૬૫. તિરસ્કારવાળું વચન કહેવું, ૬૬. દેવાદારને દેરાસરમાં પકડવો, પૈસા કઢાવવા, ૬૭. યુદ્ધ ખેલવું, ૬૮. ચોટલીના વાળ ઓળવા, ૬૯. પલાંઠી વાળીને બેસવું, ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી, ૭૧. પગ લાંબા પહોળા કરીને બેસવું, ૭૨. પગચંપી કરાવવી, ૭૩. હાથ-પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, ૭૫. મૈથુન-ક્રીડા કરે, ૭૬. માંકડ, જૂ વગેરે વીણીને દેરાસરમાં નાંખે, ૭૭. જમે, ૭૮. શરીરના ગુપ્તભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, ૭૯. વૈદું કરે, ૮૦. વેપાર, લેવડ-દેવડ કરે, ૮૧. પથારી પાથરે, ખંખેરે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરના નેવાનું પાણી લે, ૮૩. (અધિષ્ઠાયક દેવ-દેવી સિવાય) દેવી-દેવતાની સ્થાપના કરે, ૮૪. દેરાસરમાં રહે. આ ૮૪ આશાંતના ટાળવા ઉદ્યમવંત બનવું. (૮૯)
नहु देवाण वि दव्वं, संगविमुक्काण जुज्जए किमवि । નિયમેથાળુ ી, વ્વિયં લેવાં તા । ૧૦ ।।
न खलु देवानामपि द्रव्यं सङ्गविमुक्तानां युज्यते किमपि । निजसेवकबुद्ध्या कल्पितं देवद्रव्यं तद् ॥ ९० ॥ . .................... ગાથાર્થ— સંગથી રહિત દેવોને કોઇ પણ પ્રકારનું દ્રવ્ય ઘટતું નથી, અર્થાત્ સંગરહિત દેવોને દ્રવ્ય હોવાનું યુક્ત નથી. પણ ભક્તો પોતાની સેવક બુદ્ધિથી (આ દ્રવ્ય દેવભક્તિ માટે છે એમ) જે દ્રવ્ય કલ્પેલું હોય તે દેવદ્રવ્ય જાણવું. (૯૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org