________________
૬૪
मध्यमद्विचत्वारिंशत् चतुरशीतिरुत्कृष्टतो ज्ञातव्याः । सर्वा अनर्थिकानां श्राद्धानां हेतवो भणिता: । ८९ ॥ .
૮૨
ગાથાર્થ મધ્યમ આશાતના ૪૨ છે. ઉત્કૃષ્ટથી ૮૪ આશાતના છે. આ બધી આશાતનાઓ શ્રાવકોના અનર્થોનું કારણ કહી છે.
સંબોધ પ્રકરણ
આ
વિશેષાર્થ– ૮૦મી ગાથામાં જણાવેલી દશ આશાતના જઘન્ય છે. જ ગ્રંથમાં ૨૪૮ થી ૨૫૪ ગાથાઓમાં મધ્યમ ૪૨ આશાતનાઓ જણાવી છે. પ્રવચનસારોદ્વાર વગેરેમાં ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ આ પ્રમાણે જણાવી છે—
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ–દેરાસરજીમાં ૧. નાકનું લીટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઇઝઘડો કરે, ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, પ. કોગળા કરે, ૬. તંબોલ, પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો-પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે વે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા વગેરેની ચામડી ઉતારીને નાંખે, ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઊલટી કરે, ૧૮. દાંત પડે.તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરી વગેરેનું દમન કરે, (૨૧ થી ૨૮) દાંત-આંખ-નખ-ગાલ-નાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત-પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ-વિવાદ કરે, ૩૧. પોતાના ઘર-વેપારનાં નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂકવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂકવે, ૩૮. પાપડ સૂકવે, ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂકવે, ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઇ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી ૨ડે, ૪૨. વિકથા કરે, ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જ, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪૫. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯ થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org