________________
દેવ અધિકાર સત્તર સાગરોપમ આયુષ્યવાળા અને સાથે રહેનારા દેવ થયા. ત્યાં આ પ્રમાણે વિશ્વને આનંદ ઉત્પન્ન કરનારા રૂપ-ગંધ-આકૃતિ આદિ ગુણસમૂહને પામ્યા. પછી અવધિજ્ઞાનથી પૂર્વના વૃત્તાંતને જાણીને અમને વંદન કરવા માટે અહીં આવ્યા. આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી અવીને પૂર્વોક્ત પ્રમાણે સિદ્ધ થશે. આ પ્રમાણે જિનપૂજાના અનુપમ પ્રભાવને સાંભળીને અને જોઈને ચક્રવર્તી વગેરે ઘણા લોકો વિવિધ રીતે પૂજા સંબંધી અભિગ્રહો યત્નથી લે છે, પરમશ્રદ્ધાથી યુક્ત બનીને પાળે છે અને પરમફળને પામે છે.
આ પ્રમાણે પૂજાફળનું દષ્ટાંત પૂર્ણ થયું. પ્રશ્ન- અહીં ધન નામના શેઠનો મોટો પુત્ર પુષ્પપૂજામાં ઉદાહરણ સ્વરૂપ હોવા છતાં પૂર્વે પુષ્પોમાં જ પોપટટ્યુગલનું દષ્ટાંત કેમ કહ્યું?
ઉત્તર– તેવા પ્રકારના વિશિષ્ટ વિવેકથી અને ધનસમૃદ્ધિ આદિ સામગ્રીથી રહિત તિર્યંચોના બોધ માટે પુષ્પોમાં પોપટ-યુગલનું દષ્ટાંત કહ્યું છે, અર્થાત્ વિશિષ્ટ વિવેકથી અને વિશિષ્ટ પૂજા સામગ્રીથી રહિત તિર્યંચો પણ પૂજાના પ્રભાવથી સ્વર્ગાદિ સુખને પામે છે એ જણાવવા માટે પુષ્યોમાં પોપટટ્યુગલનું દૃષ્ટાંત કહ્યું છે.
પ્રશ્ન-ગાથામાં પુષ્પપૂજામાં પોપટયુગલનું દષ્ટાંત સૂચવ્યું છે અને ધનનું દષ્ટાંત લીધું નથી. છતાં ટીકામાં પુષ્પો વિષે ધનનું ઉદાહરણ કેમ કહ્યું?
ઉત્તર-પ્રસ્તુત કથાના પાત્ર આઠ બંધુઓ છે. એથી જો ધનનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કથા અપૂર્ણ ગણાય. કથામાં અપૂર્ણતા ન રહે એ માટે ધનનું દષ્ટાંત કહ્યું છે એમ જાણવું. (૭૬) . (ઉપદેશમાલા (પુષ્પમાલા) અનુવાદમાંથી ઉદ્ધત.) अन्नो मुक्खंमि जओ, नत्थि उवाओ जिणेहिं निद्दिवो। तम्हा दुहओ चुक्का, चुक्का सव्वाण वि गइणं ॥७७ ॥ अन्यो मोक्षे यतो नास्त्युपायो जिनैर्निर्दिष्टः । તષ્ઠા દિધાતો પ્રણ પ્રણા: સર્વાસામાં તીનાના છ૭ | ....
૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org