________________
- સંબોધ પ્રકરણ
૫૮
પછી હર્ષ પામેલા વરસેન ચક્રવર્તીએ જિનને નમીને પૂછ્યું: હે ભગવન્ ! આ દેવો કયા દેવલોકથી આવ્યા હતા ? પૂર્વજન્મમાં કોણ હતા ? એમણે કયું સુકૃત કર્યું કે જેથી પોતાની ઋદ્ધિથી અન્ય સઘળા ય દેવસમૂહનો પરાભવ કરે છે, અતિશય રૂપ-આકૃતિ વગેરેથી વિશ્વને પણ આનંદ પમાડે છે. જિને કહ્યુંઃ હે રાજન્ ! સાવધાન થઇને તું સાંભળ. તેં આ જે એમનું ચરિત્ર પૂછ્યું તેને સંક્ષેપથી હું કહું છું. ધાતકીખંડમાં ભરતક્ષેત્રમાં મહાલય નામનું નગર છે. ત્યાં યસ નામનો પ્રસિદ્ધ અનેં શ્રીમંત શ્રેષ્ઠી હતો. તેનો ધન નામનો મોટો પુત્ર હતો, ક્રમે કરીને વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામના બીજા સાત પુત્રો હતા. બધા ય કળાઓમાં કુશળ, લાવણ્ય-રૂપ-ગુણોથી યુક્ત, ગંભીર, સ્થિર ચિત્તવાળા, દાક્ષિણ્યમાં તત્પર અને કુશળમતિવાળા હતા. તેમણે તીર્થંકરની પાસે મિથ્યાત્વનું પચ્ચક્ખાણ કરીને સમ્યક્ત્વનો અને અણુવ્રતો વગે૨ે ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો. હવે એકવાર જિને અષ્ટપ્રકારી પૂજાના ફળનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું. તેથી આઠે ય રોમાંચિત શરીરવાળા બનીને સદા ય જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરે છે. પણ પુષ્પ વગેરે ભેદોમાં ક્રમશઃ એક એક પ્રકારની પૂજા કરે છે, અર્થાત્ એક પુષ્પપૂજા કરે છે, એક ગંધપૂજા કરે છે, એમ એક એક પૂજા કરવા દ્વારા આઠેય અષ્ટપ્રકારી પૂજા કરે છે. પરમશ્રદ્ધાથી અભિગ્રહ લઇને અતિશય શ્રેષ્ઠ, બહુમૂલ્યવાન અને લોકના મનનું હરણ કરે તેવાં ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે.
આ પ્રમાણે ધન-વિમલ વગેરે આઠે ય બંધુઓ ક્રમશઃ સુગંધી પુષ્પ અને ગંધ આદિ ભેદોથી ઉત્તમ મર્યાદાપૂર્વક પૂજા કરે છે. પ્રતિદિન વધતા પરિણામવાળા અને પોતાને કૃતાર્થ માનતા તેમણે પચ્ચીસલાખ પૂર્વ સુધી નિર્વિઘ્નપણે જિનેન્દ્રપૂજા કરી, અને અણુવ્રતો વગેરે વ્રતોનું અતિચાર રહિત સદા પાલન કર્યું. તથા શુદ્ધભાવવાળા અને સદા પરસ્પર મળેલા તે બધા ય દાન આપીને, શીલનું સંરક્ષણ કરીને, તપ તપીને, અંતે એકમાસનું અનશન કરીને, પોતપોતાના આયુષ્યની સમાપ્તિ થતાં કાળ કરીને, જિનપૂજાના પ્રભાવથી સાતમા દેવલોકમાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org