________________
૫૬
સંબોધ પ્રકરણ
મૂકે છે. આ પ્રમાણે સદાય કરતા તેમણે પ્રકૃષ્ટ શુભભાવના કારણે પુણ્યસમૂહ એકઠો કર્યો અને જિનધર્મરૂપ વૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું.
આ તરફ પૃથ્વીતિલક નામનું નગર છે. જિતશત્રુ નામનો રાજા છે. તેની પત્ની સ્વમમાં કુંડલ યુગલને જુએ છે. તે પોપટ ત્યાંથી મરીને આ રાજાનો) પુત્ર થયો. તેની નાળ દાટવા માટે ખાડો ખોદતાં રત્નનિધિ પ્રાપ્ત થયો. આથી તેનું નિધિકુંડલ એવું નામ રાખ્યું. મેના પણ મરીને બીજા કોઇ નગરમાં પુરંદરયશા નામની રૂપ-ગુણોથી વિભૂષિત રાજપુત્રી થઈ. ભાગ્યવશથી નિધિકુંડલ કોઈપણ રીતે તેને પરણ્યો. પિતાનું મૃત્યુ થતાં નિધિકુંડલ અતિશયંમહાન રાજા થયો. પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યથી જિને જણાવેલા ધર્મને પ્રાપ્ત કર્યો. તેથી ગૃહસ્થધર્મનું પાલન કર્યા પછી પત્નીની સાથે ચારિત્રનો સ્વીકાર કર્યો. ચારિત્રનું નિરતિચાર પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. પત્ની પણ ત્યાં જ સમાન આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને નિધિકુંડલનો જીવ લલિતાગક નામનો મહાબલવાન રાજપુત્ર થયો. બીજો દેવ પણ અન્ય રાજાના ઘરે ઉમાદંતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં પણ સ્વયંવરા તેને લલિતાગક ઘણા આડંબરથી પરણ્યો. પછી રાજય પાળીને, ઘણા ભોગોને ભોગવીને, તીર્થકરની પાસે નિરતિચાર ચારિત્ર આચરીને, બંનેય ઇશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
પછી લલિતાગક જીવ દેવસેન નામે રાજપુત્ર થયો. બીજો જીવ પણ વૈતાઢ્ય પર્વત ઉપર ચંદ્રકાંતા નામની વિદ્યાધરપુત્રી તરીકે ઉત્પન્ન થયો.
ત્યાં પણ ભાગ્યયોગથી કોઇપણ રીતે દેવસેન ચંદ્રકાંતાને પરણે છે. પછી રાજય ભોગવીને, પછી દીક્ષા લઈને, દિક્ષાને સારી રીતે પાળીને, અંતે દેવસેન સાધુ બ્રહ્મલોક કલ્પમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રકાંતા મરીને તેના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. પછી દેવસેન ઈન્દ્ર પ્રિયંકર નામનો વિખ્યાત ચક્રવર્તી થયો. બીજો દેવ તેનો જ મંત્રી થયો. પૂર્વભવના અભ્યાથી તે બંનેનો પરસ્પર અતિશય ઘણો સ્નેહ હતો. તેથી વિસ્મય પામેલા તેમણે ક્યારેક તીર્થકરની પાસે તેનું કારણ પૂછયું તેથી જિને તેમનો પોપટના ભવથી આરંભી જિનપૂજા વગેરે સઘળો ય પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. પછી સંવેગને પામેલા તે બંનેએ તે જ તીર્થકરના ચરણોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org