________________
દેવ અધિકાર
૫૫ ગાથાર્થ– જિતેંદ્રપૂજા દુરિતોના(પાપોના) સમૂહને શાંત કરે છે, દુઃખને દૂર કરે છે, સર્વ સુખોને ઉત્પન્ન કરે છે, નહિ ચિંતવેલા પણ ફળને સિદ્ધ કરે છે. (૭૫)
पुप्फेसु कीरजुयलं, गंधाइसु विमलसंखवरसेणा। सिववरुणसुजससुव्वय, कमेण पूआइ आहरणा ॥७६ ॥ पुष्पेषु कीरयुगलं गन्धादिषु विमल-शङ्ख-वरसेनाः । શિવ-વળ-સુના-સુવ્રતા: મેળ પૂનાવા બાદરનિ I ૭૬ ..... ૭૬
ગાથાર્થ–પુષ્પોમાં પોપટયુગલ, ગંધ (ચંદન) પૂજા વગેરેમાં ક્રમશઃ વિમલ, શંખ, વરસેન, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત એ પૂજા કરનારાઓનાં દૃષ્ટાંતો છે. વિશેષાર્થ– પુષ્પોમાં પોપટયુગલનું દાંત આ પ્રમાણે છે
પોપટયુગલનું (કમેના પોપટનું) દષ્ટાંત જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં વનવિશાલા નામની અત્યંત પ્રસિદ્ધ મોટી અટવી હતી. તે અટવી આમ્ર, બકુલ, ચંપક અને કદલીનો સમૂહ વગેરેથી યુક્ત હતી, નદી, સરોવર અને પર્વતોથી વિષમ હતી, સિંહ, હાથી, વાઘ અને અષ્ટાપદના અવાજોથી ભયંકર હતી. તે અટવીના મધ્યભાગમાં જિનેશ્વરનું મંદિર હતું. તે મંદિર વિદ્યાધરોએ મણિ-સુવર્ણનું બનાવ્યું હતું, વિશાળ, ઊંચું અને મનોહર હતું. મધ્યમાં રત્નમાંથી ઘડેલી પ્રતિમાથી અલંકૃત હતું. તેમાં સતત દેવો, વિદ્યાધરો અને સિદ્ધોનો સમુદાય ઘણા આડંબરથી વિશ્વના મનનું હરણ કરનારી યાત્રાઓ કરે છે. જિનમંદિરના દ્વાર આગળ રહેલા આમ્રવૃક્ષની શાખામાં બેઠેલું પોપટયુગલ (મેના-પોપટ) અતિશય હર્ષથી સદા મંદિરને જુએ છે, અને આ લોક ધન્ય છે કે જે આ પ્રમાણે કરે છે એમ મનમાં વિચારે છે. પણ આપણે શું કરીએ? આ ભવમાં કંઇપણ કરવાનો સંયોગ નથી. તો પણ આંબાની મંજરીઓથી દેવની પૂજા કરીએ. પછી હર્ષ પામેલા તે બંને આંબાના વનમાંથી સરસ મંજરીઓ લઈને શ્રી જિનવરના મસ્તકે છે. અહીં સિદ્ધો એટલે જેમને વિદ્યા-મંત્ર વગેરે સિદ્ધ થયું હોય તેવા વિદ્યાસિદ્ધ પુરુષો વગેરે સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org