________________
દેવ અધિકાર
૫૩ ગાથાર્થ જો પ્લેચ્છ(=અનાથી પણ આદ્રકુમાર અભયકુમારે મોકલેલા જિનબિંબને જોઈને પ્રતિબોધ પામ્યો તો બીજા સંજ્ઞી જીવો માટે શું કહેવું? (૭૩)
सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहि। पूयापणिहाणेहिं, उप्पन्ना तियसलोयंमि ॥७४ ॥ श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः । પુનાળિધાનેન સત્પન્ન દિશીતો II 98
....... ૭૪ ગાથાર્થ– શાસ્ત્રમાં સંભળાય છે કે–એક દરિદ્ર વૃદ્ધ સ્ત્રી સિંદુવારના પુષ્પોથી જગગુરુની પૂજા કરવાના શુભધ્યાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.
વિશેષાર્થ– સિંદુવાર વૃક્ષવિશેષ છે. અથવા સિંદુવાર એટલે નગોડનું વૃક્ષ, દરિદ્ર વૃદ્ધ સ્ત્રીનો વૃત્તાંત પૂજા પંચાશકની ગાથા-૪૯ની ટીકાના આધારે સંક્ષેપમાં આ પ્રમાણે છે
ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાકંદ નગરમાં પધાર્યા. ધર્મદેશના માટે દેવોએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદેશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરીના લોકો આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લોકોના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી માટે બહાર જઈ રહી હતી. નગરના ઘણા લોકોને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતા જોઈને વૃદ્ધાએ એક ભાઈને પૂછયું. લોકો આમ ઉતાવળે ઉતાવળે ક્યાં જાય છે? તે ભાઈએ કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીના વંદન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણ ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યો. - તે વિચારવા લાગી કે–હું પણ ભગવાનની પૂજા કરું, પણ હું ગરીબ હોવાથી પૂજાનાં સાધનોથી રહિત છું. આ લોકો ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઇને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરું? કંઈ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પો મળી જશે. એ પુષ્પોથી હું ભગવાનની પૂજા કરું. આમ વિચારી વૃદ્ધા જંગલમાંથી સિંદુવારનાં
પુષ્પો લઈ આવી. પુષ્પો લઈને હર્ષથી સમવસરણ તરફ જઈ રહી હતી. Jain Education International . For Personal & Private Use Only
www.jainelibrary.org