________________
૪૬ :
સંબોધ પ્રકરણ प्रथमा पुनः शुभयोगावञ्चकप्राप्ता च परिभवावर्ता। વરાધ્યાત્મધર્મપત્તમાત્ર સર્વમૈત્રીણામ્ II ધરૂ II.... ...૧૩ " ગાથાર્થ– પહેલી(=દ્રવ્ય) પૂજા શુભયોગાવંચકને પામેલી છે, અને પરિમિત ભવાવર્તવાળી છે. છેલ્લી(=ભાવ) પૂજા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવવાળા જીવોને (=મુનિઓને) માત્ર અધ્યાત્મ ધર્મરૂપ ફળવાળી છે.
વિશેષાર્થ–શુભનો જે યોગ ઠગે નહિઃપ્રાપ્ત કરાવે તે શુભયોગાનંચક. અહીં શુભ એટલે ગુણવાન, સમ્યગ્દષ્ટિશ્રાવક મોહનીય અને અનંતાનુબંધી કષાયનો અપગમ થવાથી ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી શકે છે. તેથી તે ભગવાનને સૂક્ષ્મદ્રષ્ટિથી ઓળખી શકે છે. તેથી તેને પ્રભુપૂજાનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. આમ તેનો ગુણવાન ભગવાનનો યોગ ઠગતો નથી=સફળ બને છે. માટે તેને શુભયોગાવંચક હોય છે. તેથી ઉપચારથી પૂજાને પણ શુભયોગાવંચકને પામેલી કહેવાય. સમ્યગ્દષ્ટિશ્રાવક કંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત જેટલા કાળમાં મોક્ષમાં જાય છે. માટે પહેલી પૂજા પરિમિત ભવાવર્તવાળી છે. શ્રાવકને દ્રવ્યપૂજામાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રધાનતા હોય છે. સાધુને ભાવપૂજામાં કર્મનિર્જરાની પ્રધાનતા હોય છે. માટે ભાવપૂજા માત્ર અધ્યાત્મધર્મરૂપ ફળવાળી હોય છે. (૫૩)
सम्मदिठीणमिणमा, चरिमावत्ताण मिच्छदिट्ठीणं । अडगुणबीयमुहाणं, सिवजणणी परेसिं भवजणणी ॥५४॥ सम्यग्दृष्टीनामियं चरमावर्तानां मिथ्यादृष्टीनाम् ।। અષ્ટપુળવીગમુલાનાં શિવગનની પોષ ભવનનની I ૧૪ ll ............૧૪
ગાથાર્થ– આ જિનપ્રતિમાપૂજા સમ્યગ્દષ્ટિ જીવોને અને આઠગુણરૂપ બીજ વગેરે ગુણોવાળા ચરમાવર્તમાં રહેલા મિથ્યાદષ્ટિ જીવોને મોક્ષ ઉત્પન્ન કરનારી છે. બીજા જીવોને સંસાર ઉત્પન્ન કરનારી છે. વિશેષાર્થ– અહીં શુશ્રુષા વગેરે આઠ ગુણો આ પ્રમાણે છે– शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । ऊहोऽपोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org