________________
સંબોધ પ્રકરણ
સાધ્વીજી પણ બહુ જ વિચારશીલ વિદ્વાન હતાં. તેમણે મીઠાશથી પંડિતજીને ઉત્તર આપ્યો કે ભાઇ ! એ લીલા છાણથી લીપેલું નથી કે જલદીથી જાણી શકો. પંડિતજી આ ઉત્તર સાંભળી ચમક્યા. તેમને અનુભવ થયો કે એક તો આ શ્લોક સમજાય તેવો નથી અને બીજું આ ઉત્તર પણ મારી પંડિતાઇને આંટે તેવો છે. ઉત્તર દેનાર પણ નીડર નિઃસ્પૃહી વિદુષી આર્યા છે. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્રભાવે સાધ્વીજીને કહ્યુંઃ માતાજી ! તમે મને તમારી આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વીજી બોલ્યાઃ ‘મહાનુભાવ ! આ ગાથાનો અર્થ સમજવો હોય તો તમે કાલે અહીં બિરાજમાન અમારા ગુરુજીની પાસે જઇ સમજજો. અમારો એવો આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજો.' હરિભદ્ર ભટ્ટ બીજે દિવસે સવારે ત્યાં બિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ' પાસે ગયા. પેસતાં જ તેમણે પ્રથમ જિનાલયમાં પ્રવેશ કર્યો, આજે એમના વિચારો બદલાઇ ગયા હતા. તે વીતરાગદેવની પ્રતિમા જોઇ સ્તુતિ કરતા બોલ્યા–
४०
વપુરેવ તવારણે, ભાવન્ ! વીતરાગતામ્ ।
नहि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः ॥ શાનઃ
“હે ભગવન્ ! તમારી પ્રતિમા જ વીતરાગભાવની સાક્ષી પૂરે છે. કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ?”
તે આ રીતે વીતરાગની સ્તુતિ કરીને ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ પાસે ગયા અને તેમણે આચાર્યશ્રીને ચક્કિદુગં૰ ગાથાનો અર્થ સમજાવવા વિનંતી કરી.
આચાર્ય મહારાજે તરત જ તેમને ગાથાનો અર્થ સુંદર રીતે સમજાવ્યો, એને સમજતાં જ પંડિતજી બોલ્યા કે—મારે પ્રતિજ્ઞા છે કે હું જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બનીને રહીશ. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવો.
અહીં હરિભદ્ર ભટ્ટે જિનપ્રતિમાને પહેલાં અશુભષ્ટિથી અને પછી શુભદૃષ્ટિથી જોઇ. તેથી અહીં કહ્યું કે—પ્રતિમા શુભ-અશુભ દૃષ્ટિથી આરિસાના મંડલ સમાન છે. (૪૦)
૧. જિનભટ્ટીસૂરિ એવું પણ નામ વાંચવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org