________________
૪૧
દેવ અધિકાર
सम्मत्तसुद्धिकरणी, जणणी सुहजोगसच्चपहवाणं । निहलणी दुरियाणं, भववणदवदड्डभवियाणं ॥४१॥ सम्यक्त्वशुद्धिकरणी जननी शुभयोगसत्यप्रभावानाम् । નિર્વતની તુરિતાનાં મવવનવવધવિનામ્ II 8? . ... ....૪૨
ગાથાર્થ– જિનપ્રતિમા સમ્યકત્વની શુદ્ધિ કરનારી, શુભ યોગોને અને સત્ય પ્રભાવોને ઉત્પન્ન કરનારી અને સંસારરૂપ દાવાનલથી બળેલા સંસારી જીવોનાં દુરિતોનો =પાપોનો) નાશ કરનારી છે.
વિશેષાર્થ– પ્રભાવ એટલે સામર્થ્ય. જિનપ્રતિમાની પૂજા-ભક્તિથી મન-વચન-કાયાના યોગો શુભ થાય છે. એ શુભ યોગોના કારણે જીવ પોતાને મળેલા સામર્થ્યનો આત્મહિતમાં ઉપયોગ કરે છે. જે સામર્થ્યનો આત્મહિતમાં ઉપયોગ થાય તે જ સાચું સામર્થ્ય છે. આત્માનું અહિત થાય તે રીતે સામર્થ્યનો ઉપયોગ થાય તે સાચું સામર્થ્ય નથી. જિનપ્રતિમાના આલંબનથી શુભયોગોના કારણે જીવ સામર્થ્યનો ઉપયોગ આત્મહિતમાં કરે છે. માટે અહીં કહ્યું કે–“જિનપ્રતિમા શુભ યોગો અને સત્યપ્રભાવને ઉત્પન્ન કરનારી છે.” (૪૧)
दुविहा पूया दव्वब्भावेहि अंगअग्गभावेहि। तिविहा तिविहा सा य चउहा णासायणासहिया ॥४२॥ द्विविधा पूजा द्रव्यभावाभ्यामङ्गाग्रभावैः। - ત્રિવિધા ત્રિવિધ કા ર વતુડનારીતિનાહિતા / કર .. ૪ર
ગાથાર્થ– જિનપૂજા, દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારે છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રણ પ્રકારે છે. તે ત્રણ પ્રકારની પૂજા આશાતનાના ત્યાગ સહિત ચાર પ્રકારે છે.
વિશેષાર્થ જળ વગેરે દ્રવ્યોથી થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્યો વિના કેવળ ભાવથી થનાર સ્તુતિ, ચૈત્યવંદન એ ભાવપૂજા છે. ભગવાનના અંગને સ્પર્શીને થતી કેસરપૂજા વગેરે અંગપૂજા છે. ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહીને થતી ધૂપપૂજા વગેરે અગ્રપૂજા છે. અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા અને આશાતનાનો ત્યાગ એમ ચાર પ્રકારે છે. (૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org