________________
દેવ અધિકાર
૩૯ એક ગાંડો હાથી ધમાચકડી મચાવતો ત્યાં આવી પહોંચ્યો. એને જોતાં જ સાથેનું ટોળું વીખરાઈ ગયું. હરિભદ્ર ભટ્ટ પણ જીવ બચાવવા માટે પાલખીમાંથી કૂદી પડ્યા અને પાસેના જૈન દેરાસરમાં જઇ ઊભા. ત્યાં તેમણે જોયું તો સામે વિતરાગદેવની પ્રતિમા બિરાજમાન હતી. ભટ્ટજી તેને જોઈ હસતા હસતા બોલી ઊઠ્યા.
वपुरेव तवाचष्टे, स्पष्टं मिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः ॥ . “તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું?”
તે પંડિતને ત્યારે ખબર ન હતી કે પોતાના આ શબ્દો પોતાને જ ભવિષ્યમાં સુધારવા પડશે. ખરે જ કુદરતની બલિહારી છે. હાથી ચાલ્યો ગયો અને હરિભદ્ર ભટ્ટ પણ પોતાને સ્થાને ચાલ્યા ગયા. આ હાથીની ઘટનાએ તેને વિરોધ ભક્તિથી પણ વીતરાગનો પરિચય કરાવ્યો.
હરિભદ્ર ભટ્ટ એક રાતે ઘર તરફ જતા હતા. ત્યાં તેણે એક નવીન શ્લોક સાંભળ્યો. તે શ્લોક આ પ્રમાણે છે– . चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्कि केसव चक्की य ॥
આ અવસર્પિણીમાં પહેલાં એક પછી એક એમ ૨ ચક્રવર્તી, પછી ૫ વાસુદેવ, પછી પ ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ ચક્રી, પછી ૧ કેશવ, પછી ૧ ચક્રી, પછી ૧ કેશવ, પછી ર ચક્રી, પછી ૧ કેશવ અને પછી ૧ ચક્રવર્તી થયા છે.”
પંડિતજીએ આ શ્લોક ફરી ફરી વાર સાંભળ્યો. તેમને તે અપૂર્વ લાગ્યો, તેનો અર્થ સમજવા માટે ઘણી મથામણ કરી. ખૂબ વિચાર કર્યો, પણ તેમને તેનો અર્થ સમજાયો જ નહીં. તેમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી, તેમનું અભિમાન ઘવાવા લાગ્યું, અને તેમને ગુસ્સો પણ ચડ્યો. ' તેણે પાસેના મકાનમાં પ્રવેશ કરીને જોયું તો એક વિદુષી સાધ્વી તે શ્લોક બોલતાં હતાં. પંડિતજીએ તેમની પાસે જઈને પૂછયું કે, “હિં ઘણી રવિરાયતે –આ ચકલી શું ચકચક કરે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org