SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. સંબોધ પ્રકરણ ઉપર ન થાય. માટે પ્રતિમાને જોનાર જીવની દષ્ટિ કેવી છે એ મહત્ત્વનું છે. જો શુભદષ્ટિથી પ્રતિમાને જોવામાં આવે તો આત્મદર્શન થાય, અશુભદષ્ટિથી જોવામાં આવે તો આત્મદર્શન ન થાય. આરિસો મુખને જોવાનું નિમિત્ત છે. તેથી આરિસામાં જોનાર વ્યક્તિનું મુખ જેવું હોય તેવું દેખાય. આરિસો મુખને સારું કે ખરાબ ન કરે, કિંતુ મુખ જેવું હોય તેવું બતાવે. મુખ સારું હોય તો સારું બતાવે અને મુખ ખરાબ હોય તો ખરાબ બતાવે. આરિસામાં જોનાર માણસ જો મુખ ખરાબ દેખાય તો તેને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. તેમ જિનપ્રતિમાને શુભદષ્ટિથી જોનારને પ્રતિમા વીતરાગ દેખાય છે. અને પોતાનો આત્મા વીતરાગ બને એ માટે પ્રયત્ન કરે છે. પ્રતિમાને અશુભદષ્ટિથી જોનારને પ્રતિમા વીતરાગ દેખાતી નથી. એથી એને પ્રતિમાને જોઈને વીતરાગ બનવાની પ્રેરણા મળતી નથી. આ વિષે પુરોહિત હરિભદ્રનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે – પુરોહિત હરિભદ્રનું દષ્ટાંત પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર, દર્શનશાસ્ત્રના જાણકાર હતા. ચૌદ વિદ્યાના પારગામી હતા. તે ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. તેમની ભારતીય વિદ્વાનોમાં વાદિ-વિજેતા તરીકે અપૂર્વ ખ્યાતિ હતી. તેમનામાં જ્ઞાન, સન્માન અને સત્તા એ ત્રણેનો યોગ મળ્યો. એટલે તેમને પોતાના જ્ઞાનનો મદ ચડ્યો. એ વિદ્યાના અભિમાનથી પેટે સોનાનો પાટો બાંધતા, વાદીઓને જીતવા કોદાળી, જાળ તથા નિસરણી રાખતા અને જંબૂદ્વીપમાં પોતાની અદ્વિતીયતા બતાવવા હાથમાં જાંબુડાની ડાળી રાખી ફેરવતા હતા. વળી, સાથોસાથ તે સરળ પણ હતા. એટલે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું આ પૃથ્વી પર જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બની જાઉં.” તે પોતાને કલિકાલસર્વજ્ઞ તરીકે જ માનતા હતા. પરંતુ આશ્ચર્યની વાત છે કે તેમનું આ અભિમાન એક વિદુષી આર્યાએ-એક તપસ્વિની જૈન સાધ્વીએ ઉતાર્યું. એક દિવસ હરિભદ્ર પાલખીમાં બેસી રાજસભામાં જતા હતા, શિષ્યો અને પંડિતો તેમની ચારે બાજુ વીંટાઈને ચાલતા હતા. પાસે જૈન દેરાસર આવ્યું. એટલામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy