________________
સંબોધ પ્રકરણ
૩૬
કોઇ એક મુદ્રામાં રહીને સિદ્ધ થયા છે. આવા પ્રભુ જન્મ-મરણથી રહિત છે. સર્વ પ્રકા૨ના દુઃખોથી મુક્ત છે. અનંત-અવ્યાબાધ સુખના ભોક્તા છે, વગેરે સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવું. (૩૭)
सा नियनियभत्तिभर - निब्भरमाणसविणिम्मिया जाण । जिणकल्ाणगभत्ति-सुविभत्तिकओवयारगुणा ॥ ३८ ॥ सा निजनिजभक्तिभरनिर्भरमानसविनिर्मिता जानीहि । जिनकल्याणकभक्ति-सुविभक्तिकृतोपचारगुणा ॥ ३८ ॥ . ............... ગાથાર્થ— તે ત્રણ પ્રકારની અવસ્થા પોતપોતાની ભક્તિના સમૂહથી પૂર્ણ મનથી રચેલી (=ચિંતવેલી) જાણ. તથા જિનકલ્યાણક પ્રત્યેની ભક્તિથી વિવિધ ભેદથી કરાયેલ ઉપચાર ગુણવાળી જાણ.
વિશેષાર્થ– જિનેશ્વરો મુક્તિમાં ગયેલા છે. જેથી જન્માદિથી રહિત છે. તો પછી ત્રણ અવસ્થાનું ચિંતન શા માટે કરવું ? એવા પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે ભક્તો ભક્તિના સમૂહથી ભરેલા મનથી ત્રણ અવસ્થા કલ્પે છે. મોક્ષને પામેલા જિનેશ્વરો પરમાર્થથી જન્માદિ અવસ્થાઓથી રહિત છે, આમ છતાં ભક્તો ભક્તિના કારણે મનથી જન્માદિ અવસ્થાઓને કલ્પે છે. આ અવસ્થાઓના ચિંતનથી વિવિધ પ્રકારની પૂજાનો લાભ થાય છે. માટે અહીં વિવિધ ભેદથી કરાયેલ ઉપચારવાળી જાણ એમ કહ્યું. આ અવસ્થાઓના ચિંતનમાં કલ્યાણકો પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત થાય છે. તે આ પ્રમાણે—જન્મ અવસ્થા ચિંતનમાં જન્મકલ્યાણકની સ્મૃતિ થાય છે. શ્રમણ અવસ્થાના ચિંતનમાં દીક્ષાકલ્યાણકની સ્મૃતિ થાય છે. પદસ્થ અવસ્થાના ચિંતનમાં કેવળજ્ઞાનકલ્યાણકની સ્મૃતિ થાય છે. રૂપાતીત અવસ્થાના ચિંતનમાં મોક્ષકલ્યાણકની સ્મૃતિ થાય છે. આથી અહીં “જિનકલ્યાણકો પ્રત્યેની ભક્તિથી” એમ કહ્યું. (૩૮)
तत्थ पइट्टाभेओ, न हवइ जम्हा दुक्खाइओ भावो । सिद्धाण सणायणओ, परिणामिओ दव्वओ वि गुणो ॥ ३९ ॥ तत्र प्रतिष्ठाभेदो न भवति यस्माद् दुःखातीतो भावः । સિદ્ધાનાં સનાતનત: પારિગામિો દ્રવ્યતોઽપિ મુળઃ । . । ..........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org