________________
દેવ અધિકાર
૩૫ ગાથાર્થ– દ્રવ્ય-ભાવ પૂજા સમાન એવી સ્વરૂપથી રૂપાતીત અવસ્થા અને અન્ય પિંડસ્થ અને પદસ્થ અવસ્થા સારી રીતે ભાવવી જોઈએ.
વિશેષાર્થ– દ્રવ્ય-ભાવ પૂજા સમાન– રૂપાતીત વગેરે અવસ્થાઓનું ચિંતન ભાવ પૂજા છે. તેમાં જન્મ સમયે દેવો જિનેશ્વરોનો જન્માભિષેક વગેરે કરે છે ઈત્યાદિ દ્રવ્યપૂજા છે. માટે અહીં અવસ્થાઓને દ્રવ્યભાવપૂજા સમાન કહી છે.
જિનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એમ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. પિંડસ્થ અવસ્થા એટલે છબસ્થ અવસ્થા. પદસ્થ અવસ્થા એટલે કેવળી અવસ્થા. રૂપાતીત અવસ્થા એટલે મુક્ત(ત્રસિદ્ધ) અવસ્થા. પિંડસ્થ અવસ્થાના જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા એમ ત્રણ ભેદ છે. જન્મ અવસ્થાની ભાવનામાં જિનપ્રતિમાની ઉપરના ભાગમાં કોતરેલા બે હાથમાં કળશને ધારણ કરનારા દેવો, હાથી ઉપર બેઠેલા ઇંદ્ર વગેરે દેવો, ગીતગાન કરતા દેવો, અને વાજિંત્રોને વગાડતા દેવોને જોઈને જિનના જન્મસમયે થયેલા સ્નાત્રમહોત્સવના પ્રસંગને વિચારવો જોઈએ. તથા ઇંદ્રો વગેરે ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી, ઈત્યાદિ વિચારવું. વસ, આભૂષણ, પુષ્પમાળા વગેરેથી વિભૂષિત જિનપ્રતિમાને જોઈને રાજ્યલક્ષ્મીને અનુભવતા પ્રભુનું (=રાય અવસ્થાનું) ચિંતન કરવું. તથા ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવમાં રહે છે. ચારિત્રમોહનીય કર્મખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે વગેરે વિચારવું ભગવાનના કેશરહિત મુખ અને મસ્તકને જોઇને પ્રભુની શ્રમણ અવસ્થાનું ચિંતન કરવું. તથા ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે. ઘોર પરિષદો સહન કરે છે, વગેરે વિચારવું. અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યોને જોઇને પ્રભુની કેવલી અવસ્થાનું ચિંતન કરવું. તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન ધર્મતીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પ્રહર દેશના આપીને અનેક જીવોને ધર્મ પમાડે છે, વગેરે વિચારવું. પ્રભુની પર્યક આસન અને કાયોત્સર્ગ આ બે મુદ્રાને જોઈને રૂપાતીત અવસ્થાનું ચિંતન કરવું. તે આ પ્રમાણે પ્રભુ આ બે મુદ્રામાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org