________________
૩૪ :
સંબોધ પ્રકરણ સાયિક ભાવમાં ઉત્પન્ન થાય છે. મોહનીય કર્મના ક્ષયથી પહેલો અપાયાપગમાતિશય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી બીજો જ્ઞાનાતિશય, દર્શનાવરણીય કર્મના ક્ષયથી ત્રીજો વચનાતિશય, અંતરાયકર્મના ક્ષયથી ચોથો પૂજાતિશય પ્રગટ થાય છે.
વિશેષાર્થ– ચારે અતિશયો ભાયિક ભાવથી પ્રગટ થાય છે છતાં ૩૪મી ગાથામાં વચનાતિશયને ક્ષયોપશમ ભાવમાં કહ્યો તેનું કારણ એ સંભવે છે કે વચનાતિશયથી શ્રોતામાં શ્રુતજ્ઞાન થાય છે એ શ્રુતજ્ઞાન લાયોપથમિક છે. અહીં કારણ વચનાતિશયમાં કાર્ય શ્રુતજ્ઞાનનો ઉપચાર કરીને વચનાતિશયને ક્ષયોપશમ ભાવમાં કહ્યો છે. (૩૪-૩૫)
संपुण्णसिद्धमुद्दा, पडिमा दव्वगसरीरजिणकप्पा। तियसेहि कयपूया, संपइ सा दव्वओ पुज्जा ॥३६॥ संपूर्णसिद्धमुद्रा प्रतिमा द्रव्यकशरीरजिनकल्पा। ત્રિીઃ વૃતપૂના સંપ્રતિ સા દ્રવ્યત: પૂજા I રૂદ્ II. .... ૨૬
ગાથાર્થ– જિનેશ્વરોની પ્રતિમા પૂર્ણ સિદ્ધમુદ્રાવાળી હોય છે. જિનેશ્વરો સિદ્ધ થયા ત્યારે તેમનું દ્રવ્ય શરીર જે મુદ્રાવાળું હતું તે મુદ્રાવાળી તેમની પ્રતિમાઓ છે. આવી પ્રતિમાની દેવોએ પૂજા કરી છે. આથી હમણાં જિનપ્રતિમાની (જળ વગેરે) દ્રવ્યથી પૂજા કરવી જોઈએ.
વિશેષાર્થ– જિનેશ્વરો કાયોત્સર્ગ અને પર્યક આસન આ બે મુદ્રામાં મોક્ષમાં જાય છે. માટે તેમની પ્રતિમા કાયોત્સર્ગવાળી કે પર્યક આસન મુદ્રાવાળી બનાવવામાં આવે છે. જમણી જાંઘ અને સાથળની વચ્ચે (=ઢીંચણ ઉપર) ડાબો પગ સ્થપાય, ડાબી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય અને નાભિ પાસે ડાબા હાથની હથેળી જમણા હાથની હથેળી ઉપર રખાય તે પીંક આસન છે. કાયોત્સર્ગ મુદ્રા પ્રસિદ્ધ છે. (૩૬) रूवाईयावत्था, सभावओ दव्वभावपूयाभा। जा पिंडत्थपयत्था, वत्थंतरभावणा सम्मं ॥३७॥ रूपातीतावस्था स्वभावतो द्रव्यभावपूजाभा। યા વિઠ્ઠલ્થ-સ્થાવસ્થાન્તરમાવના સામ્ II રૂ૭ | ... રૂ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org