________________
દૈવ અધિકાર
૩૩
ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અર્થને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતું. અખંડ ધારાબદ્ધ. (અવ્યુચ્છેદિ). ૩૫. અખેદિત્વ– કહેતી વખતે વક્તાને જેમાં ખેદ–શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતું (અપરિખેદિત). (૩૨)
भावाइसयचक्कग-संमेओ सव्वसच्चमाहप्पो । बज्झब्धंतररिउगण - नासापायावगमरूवो ॥ ३३ ॥
भावातिशयचतुष्ककसमेतः सर्वसत्यमाहात्म्य: । बाह्याभ्यन्तररिपुगणनाशापायापगमरूपः ॥ ३३ ॥
..............
ગાથાર્થ દેવાધિદેવ સર્વસત્યમાહાત્મ્યવાળા અને ચાર ભાવ અતિશયોથી યુક્ત હોય છે. બાહ્ય-અત્યંતર શત્રુઓના નાશથી અપાય અપગમરૂપ અતિશય ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ સર્વસત્યમાહાત્મ્યવાળા– તેમનું જે જે માહાત્મ્ય જણાવવામાં આવ્યું છે તે સર્વ માહાત્મ્ય સત્ય છે, કલ્પિત નથી. અપાય એટલે અનર્થ, અપગમ એટલે દૂર થવું. અનર્થોનું દૂર થવું તે અપાય અપગમ અતિશય. રાગાદિ અત્યંતર શત્રુઓ જ મુખ્ય અનર્થ છે. કારણ કે સર્વ અનર્થોનું મૂળ રાગાદિ જ છે. માટે રાગાદિ અત્યંતર શત્રુઓનો સર્વથા નાશ થતાં અપાય અપગમ અતિશય પ્રગટ થાય છે. (૩૩) खाइयनाणातिसओ, वयणाइसओ खउवसमे भावे 1 उवयारओ विपूया - तिसयगुणो भावरूवंमि ॥ ३४ ॥ क्षायिकज्ञानातिशयो वचनातिशयः क्षयोपशमे भावे । મુન્નારતોઽપિ પૂનાતિશયનુનો ભાવ । . । .................. मोहक्खएंण पढमो, नाणावरणक्खएण बीओवि ।
दंसणक्खण तइओ, विग्घखए चउत्थओ होइ ॥ ३५ ॥
.
मोहक्षयेण प्रथमो ज्ञानावरणीयक्षयेण द्वितीयोऽपि ।
दर्शनक्षयेण तृतीयो विघ्नक्षये चतुर्थको भवति ॥ ३५ ॥ . ............... ગાથાર્થ જ્ઞાનાતિશય ક્ષાયિકભાવથી થાય છે. વચનાતિશય ક્ષાયોપશમિક ભાવમાં ઉત્પન્ન થાય છે. પૂજાતિશયગુણ ઉપચારથી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org