________________
૩૧
દેવ અધિકાર
ગાથાર્થ–દેવને વાણીના પાંત્રીસ ગુણો હોય છે. અતિશયોથી સહિત, ભવ્યજનોથી પૂજિત, દેવાધિદેવ એવા નામથી પ્રસિદ્ધ દેવ ભવસાગરને તરવા માટે નાવ સમાન છે. (૩૨)
વિશેષાર્થ– વાણીના ૩૫ ગુણો આ પ્રમાણે છે– ૧. સંસ્કારવન્દ્રસભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુક્ત (વચન). ૨. ઔદાર્યો- ઉચ્ચ સ્વરે બોલાતું (ઉદાત્તર). ૩. ઉપચારપરીતતા– અગ્રામ્ય (ઉપચારોપેત). ૪. મેઘગંભીરઘોષત- મેઘની જેમ ગંભીર શબ્દવાળું (ગંભીર-શબ્દ). ૫. પ્રતિનાદવિધાયિતા- પ્રતિધ્વનિ, પડઘાવાળું (અનુનાદિ). ૬. દક્ષિણ–– (સરલ). ૭. ઉપનિીતરાગત્વમાલકોશ વગેરે ગ્રામરાગોથી યુક્ત (આ સાત વચનાતિશયો શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશયો અર્થની અપેક્ષાએ છે.) ૮. મહાર્થતામહાન-વ્યાપક વાચ્ય અર્થવાળું. ૯. અવ્યાહતત્વ–પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો સાથે વિરોધ વિનાનું. (અવ્યાહતપીપય). ૧૦. શિષ્ટત્વ- અભિમત-ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કહેનાર અને વક્તાની શિષ્ટતાનું સૂચક. (નિર્મળ જ્ઞાન, વૈર્ય, સજનતા વગેરે ગુણોથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.) ૧૧. સંશયોનો અસંભવ– અસંદિગ્ધતા, સંદેહરહિત (અસંદિગ્ધ). ૧૨. નિરાકૃતાન્યોત્તરત્વ- બીજાઓ જેમાં દૂષણ ન બતાવી શકે એવું અપહૃતાન્યોત્તર). ૧૩. હૃદયંગમતા– હૃદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર. ૧૪. મિથસાકાંક્ષતા– પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતાવાળું (અન્યોન્યપ્રગૃહીત). ૧૫. પ્રસ્તાવૌચિત્ય- દેશ અને કાળને ઉચિત (દશકાલાવ્યતીત). ૧૬. તત્વનિષ્ઠતા– વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂપ). ૧૭. અપ્રકીર્ણ પ્રસૃત્વ-સુસંબદ્ધ, વિષયાંતરથી રહિત અને અતિવિસ્તાર વિનાનું ૧૮. અસ્વશ્લાઘા નિજતા– સ્વપ્રશંસા અને પરનિંદા
૧. આ નામો શ્રી અભિધાન ચિંતામણીના આધારે અહીં આપ્યા છે. ૩૫ ગુણો ભગવંતના
વચનના છે. ૨. કસમાં આપેલા આ નામો શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાંથી ગ્રહણ કરેલ છે. જ્યાં કૌંસમાં
નામ આપ્યા નથી ત્યાં તે અભિધાનચિંતામણિ જેવા જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org