________________
૨૫
દેવ અધિકાર
ગાથાર્થ– અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, છત્ર આ જિનપ્રાતિહાર્યો જય પામે છે.
વિશેષાર્થ– અશોકવૃક્ષ- (સમવસરણમાં) સૂર્યના કિરણોના ફેલાવાને રોકતું અશોકવૃક્ષ હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે છે–વર્ધમાનસ્વામીને અશોકવૃક્ષ બત્રીશ ધનુષ ઊંચું હતું. બાકીના જિનેશ્વરોને પોતાના શરીરથી બાર ગણું ઊંચું હતું. (અશોકવૃક્ષ સમવસરણના બરોબર મધ્યભાગમાં હોય છે, ગોળાકારે ચારે બાજુ સાધિક યોજન સુધી પહોળું હોય છે. તેનો રંગ લાલ હોય છે. આની રચના વ્યંતરદેવો કરે છે.) પુષ્પવૃષ્ટિ– દેવો હાથોથી ડીંટા નીચે રહે તે રીતે જાનુ પ્રમાણ ( ઘૂંટણ જેટલી ઊંચાઈ થાય તેટલાં) પાંચ વર્ણવાળા સુગંધી પુષ્પોની (યોજન સુધી) વૃષ્ટિ કરે છે. (તે પુષ્યોને દેવો અને મનુષ્યના પગથી કચડાવા છતાં જરા પણ વેદના થતી નથી.) દિવ્યધ્વનિ દેવો, મનુષ્યો અને તિર્યંચ જીવસમૂહની પોતપોતાની ભાષામાં પરિણમતો હોવાના કારણે મનોહર એવો દિવ્યધ્વનિ થાય છે. દિવો પ્રભુના ધર્મદેશનાના ધ્વનિને વીણા વગેરેમાં પૂરે છે. અને ચારે બાજુ યોજન સુધી વિસ્તરે છે. આથી તે ધ્વનિ દેવકૃત હોવાથી દિવ્યધ્વનિ છે.) યોજન સુધી જનારો આ દિવ્યધ્વનિ ઇક્ષરસ અને દ્રાક્ષ વગેરેથી પણ અધિક મધુર હોય છે. ચામર- ત્રિભુવનના ઐશ્વર્યને સૂચવનારા અને શરદઋતુના ચંદ્રના કિરણ સમાન શ્વેત બે ચામર પ્રભુને દેવ વીંજે છે. સિંહાસન– અતુલ
મહિમાને પ્રગટ કરતું અને ઉછળતા–ફેલાતા પાંચ વર્ણવાળા મણિઓના - કિરણ સમૂહથી જેણે દિશાઓના આંતરાઓને અનેક વર્ણવાળા કર્યા છે, તેવું સિંહાસન હોય છે. (eતેવા સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે.) ભામંડલ– જેણે (તેજથી) સૂર્યમંડલને જીતી લીધું છે, તેવું પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં પ્રભામંડળ હોય છે. દુંદુભિ– ભગવાનની આગળ આકાશમાં પ્રતિધ્વનિથી જેણે વિશ્વના મધ્યભાગને ભરી દીધો છે તેવો દુંદુભિ વાગે છે. છત્ર- (પ્રભુના મસ્તક ઉપર) ત્રણ જગતમાં
આ એક જ સ્વામી છે” એમ પ્રગટ કરવામાં કુશળ અને પૂર્ણિમાના ચંદ્રમંડલ સમાન ત્રણ છત્ર હોય છે. (૨૧) (દર્શનશુદ્ધિ પ્રાગા.૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org