________________
દેવ અધિકાર
- ર૩ ગાથાર્થ– જિનેશ્વર ભગવંતનું નામ તે નામજિન. શ્રી જિનેશ્વરની પ્રતિમાઓ તે સ્થાપના જિન. શ્રી જિનેશ્વરોના (પહેલાની અને પછીની અવસ્થાવાળા) જીવો તે દ્રવ્યજિન. સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર તે ભાવજિન.
વિશેષાર્થ– તીર્થકરો કેવલજ્ઞાન પામે ત્યારથી તીર્થકર નામકર્મનો રસોદય શરૂ થાય છે, અને મોક્ષમાં ન જાય ત્યાં સુધી રસોદય હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે ત્યારથી માંડી મોક્ષમાં ન જાય ત્યાં સુધી તીર્થકરો ભાવજિન કહેવાય. બધા કેવલજ્ઞાનીઓ તીર્થકર નથી હોતા, આથી “સમવસરણમાં બિરાજમાન” એવું વિશેષણ તીર્થકરો માટે છે. તીર્થકર નામકર્મને યોગ્ય સમવસરણ, અષ્ટપ્રાતિહાર્ય વગેરે બાહ્યઋદ્ધિ જેમને હોય તેવા કેવલજ્ઞાની ભગવંત ભાવજિન છે. ભવિષ્યકાળમાં તીર્થકર રૂપે થનારા જીવો દ્રવ્યજિન છે. તથા તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધ અવસ્થામાં રહેલા પણ તીર્થકરના જીવો દ્રજિન છે. શ્રેણિક વગેરે જીવો ભાવતીર્થંકરની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યજિન છે. અને સિદ્ધ અવસ્થાને પામેલા તીર્થકરના જીવો ભાવતીર્થંકરની પછીની અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યજિન છે. (૧૬) ' जेसि निक्खेवो खलु सच्चो भावेण तेसि चउरो वि।
दव्वाईया सुद्धा, हुंति ण सुद्धा असुद्धस्स ॥१७॥ येषां निक्षेपः खलु सत्यो भावेन तेषां चत्वारोऽपि। द्रव्यादिकाः शुद्धा भवन्ति न शुद्धा अशुद्धस्य ॥ १७ ॥ .... ગાથાર્થ– જે દેવોનો ભાવથી નિક્ષેપો સત્ય છે, તે દેવોના દ્રવ્ય વગેરે ચારે નિક્ષેપા શુદ્ધ છે. જે દેવ ભાવનિક્ષેપથી અશુદ્ધ છે તેના દ્રવ્ય વગેરે નિપા અશુદ્ધ છે.
વિશેષાર્થ– જે દેવ ભાવનિક્ષેપાથી સત્ય છે, તે દેવના દ્રવ્ય વગેરે ચાર નિક્ષેપા પૂજ્ય છે. જે દેવ ભાવનિપાથી અસત્ય છે, તેના ચારે નિક્ષેપા અપૂજય છે, ત્યાગ કરવા યોગ્ય છે. (૧૭) तम्हा जिणसारिच्छा, जिणपडिमा सुद्धजोयकारणया। तब्भत्तीए लब्भइ, जिणिंदपूयाफलं भव्वो ॥१८॥
... ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org