________________
દેવ અધિકાર આદિમાં ઉત્પન્ન થતો ભય. ૫. આજીવિકાભય=પોતાની આજીવિકા (Gજીવન) ચલાવવાનો ભય. જેમ કે દુકાળમાં હું કેવી રીતે રહીશ? એવો ભય. ૬. મરણભય=પ્રસિદ્ધ છે. ૭. અપજશભ=જો હું આ અકાર્ય કરીશ તો મારી અપકીર્તિ થશે એવો ભય.
પ્રાણિવધ– જીવોને મન-વચન-કાયાથી પીડા આપવી. પ્રેમ-સ્નેહ, અર્થાત્ રાગ કીડાપ્રસંગ-મૈથુન હાસ્ય-વિસ્મય આદિમાં મુખનું ખીલવું.
જો કે અહીં મત્સર ક્રોધ-માન સ્વરૂપ છે. પ્રેમ માયા-લોભ સ્વરૂપ છે. તો પણ સામાન્યનું વિશેષથી કથંચિત જુદાપણું જણાવવા માટે તે બેનું અલગ ગ્રહણ કર્યું છે.
અહીં અજ્ઞાનથી (=અજ્ઞાનના ભાવથી) જ્ઞાનાવરણ-દર્શનમોહનીયનો વિયોગ(=નાશ) સૂચવ્યો છે. નિદ્રાથી દર્શનાવરણનો, ક્રોધાદિથી કષાયમોહનો, રતિ આદિથી નોકષાયમોહનો, પ્રાણિવધ, અલીકવચન, ચોરી, ક્રિીડાપ્રસંગ અને લોભથી ચારિત્રમોહનો વિયોગ સૂચવ્યો છે. આ કર્મોનો વિયોગ થયે છતે અંતરાયનો પણ અવશ્ય વિયોગ જાણવો. કારણ કે અંતરાય જ્ઞાન-દર્શનાવરણની સાથે એક સમયમાં જ ક્ષય કરવા યોગ્ય છે. આનાથી ઘાતી કર્મોનો અભાવ થયો એવું તાત્પર્ય .
જેના અઢારેય દોષો નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. દેવાધિદેવ=વાણીથી ન વર્ણવી શકાય તેવા અતિશય વૈભવથી જેઓ ક્રિીડા કરે છે, તે ભવનપતિ વગેરે દેવો છે. તે દેવોમાં પરમાનંદ-વીર્યજ્ઞાનની પ્રાપ્તિથી અધિક શોભે છે તે દેવાધિદેવ છે. અહીં દેવાધિદેવમાં ગુણોત્કર્ષનું અને દોષાભાવનું પ્રતિપાદન કર્યું છે. આનાથી એ નિશ્ચિત થયું કે-જેઓ સાધારણ પુરુષ સમાન છે, પ્રબળ અજ્ઞાનરૂપ અંધકારથી જેમની તત્ત્વદષ્ટિઢંકાઈ ગઈ છે, જેમણે કોપ અને મહેરબાનીથી જગતના લોકોને વિટંબણા પમાડી છે, જેમણે આશ્રવધારોનો વિરોધ કર્યો નથી, જેઓ ઈષ્ટ-અનિષ્ટ વિષયોની પ્રાપ્તિના કારણે હર્ષ-વિષાદથી વ્યાકુલ ચિત્તવાળા છે, જેમના હાથ ચક્ર-ધનુષ-ત્રિશૂલ-ગદા વગેરે શસ્ત્રોથી વ્યસ્ત છે, જેમણે જગતની ઉત્પત્તિ સ્થિતિ-નાશ કરવા માટે બાલ ક્રીડા કરી છે, જેઓ સદા સ્ત્રીના શરીરનું આલિંગન કરવામાં આનંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org