________________
સંબોધ પ્રકરણ
૨૦
ક્રીડાપ્રસંગ અને હાસ્ય આ અઢાર દોષો જેમના સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું.
વિશેષાર્થ— અજ્ઞાન– અજ્ઞાનના સંશય, વિપર્યય અને અનધ્યવસાય એમ ત્રણ ભેદો છે. પરસ્પર બે વિરુદ્ધ વસ્તુનું જ્ઞાન તે સંશય. જેમ કે આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું “આ આમ જ છે” એવું જ્ઞાન તે વિપર્યય. જેમ કે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન. નિશ્ચયરહિત આ કંઇક છે એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે અંધારામાં “અહીં કાંઇક છે” એવું જ્ઞાન.
'
ન
ક્રોધ– પ્રસિદ્ધ છે. મદ— કુળ-બળ-ઐશ્વર્ય આદિના કારણે થતો અહંકાર મદ છે. માન—દુરાગ્રહ. લોભ=મૃદ્ધિ-આસક્તિ. પરિગ્રહ વૃદ્ધિ સ્વરૂપ હોવાથી તેનો લોભમાં જ સમાવેશ થાય છે. માયા— લુચ્ચાઇ. રતિ– ઇષ્ટ શબ્દ વગેરે વિષયની પ્રાપ્તિ થતાં થતી માનસિક પ્રસન્નતા. અરતિ– રતિથી વિપરીત. નિદ્રા– ઊંઘવું. શોક— ઇષ્ટ,વસ્તુના વિરહથી થતો ચિત્તસંતાપ. અસત્યવચન–અસત્યવચનના ભૂતનિĀવ, અસદ્ભૂતઉદ્ભાવન, વિપરીત ભાષણ અને નિંદા એમ ચાર ભેદ છે. ભૂતનિતવ– સદ્ભૂત વસ્તુનો નિહ્નવ (નિષેધ કે અપલાપ) કરવો. જેમ કે આત્મા નથી વગેરે. અસદ્ભૂત-ઉદ્ભાવન=જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુનું તે સ્વરૂપે પ્રતિપાદન કરવું. જેમ કે—આત્મા સર્વવ્યાપી છે. આત્મા સામો નામના ધાન્ય પ્રમાણ છે. આત્મા ચોખાના દાણા જેટલો છે. વિપરીતભાષણ— જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુને તે સ્વરૂપે કહેવી. જેમ કે ગાયને અશ્વ કહે તે વિપરીત ભાષણ છે. નિંદા– તું ચોર છે ઇત્યાદિ નિંદા વચન. ચોરી– પરના ધનનું હરણ કરવું. મત્સર– ૫૨ના ગુણો સહન ન થવા, અર્થાત્ દ્વેષ. ભય—– ભય સાત પ્રકારે છે. તે આ પ્રમાણે— ૧. ઇહલોકભય=વર્તમાનભવના પ્રાણીથી ભય પામવો. જેમકે મનુષ્ય મનુષ્યથી ભય પામે. ૨. પરલોકભય=બીજી ગતિમાં રહેલા જીવથી ભય પામવો. જેમ કે મનુષ્ય સિંહથી ભય પામે. ૩. આદાનભય=જે ગ્રહણ કરાય તે આદાન. તેથી આદાન એટલે દ્રવ્ય. “મારું દ્રવ્ય ચોર વગેરે હરી લે” એવો ભય. ૪. અકસ્માત્મય=બાહ્ય નિમિત્ત વિના અંધકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org