________________
સંબોધ પ્રકરણ
વિશેષાર્થ–ભાવને પામેલું તે ધર્મકાર્ય મોક્ષમાર્ગ છે. આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે દાનાદિ ધર્મ ભાવથી યુક્ત હોય તો જ મોક્ષમાર્ગ : બને છે. ભાવથી રહિત દાનાદિ ધર્મ મોક્ષમાર્ગ નથી. દાનધર્મમાં ધનની મૂછના ત્યાગનો ભાવ ન હોય, અને કેવળ નામના મેળવવા વગેરેનો દુષ્ટ આશય હોય તો એ દાનધર્મ વાસ્તવિક અધર્મ રૂપ છે. શીલપાલનમાં સંસારસુખના રાગના નાશનો ભાવ ન હોય અને વધારે સંસારસુખ ભોગવી શકાય એવો જ ભાવ હોય તો તે શીલધર્મ વાસ્તવિક અધર્મરૂપ છે. તપ કરવા પાછળ આહારસંજ્ઞા ઘટાડવાનો કે શરીરની મૂછ ઉતારવાનો ભાવ ન હોય, વધારે ખાઈ શકાય કે વધારે વિષયસુખ ભોગવી શકાય એવો આશય હોય તો એ તપધર્મ વાસ્તવિક અધર્મ રૂપ છે. આ વિષે એક મહાપુરુષે કહ્યું છે કે
दानं तपस्तथा शीलं, नृणां भावेन वर्जितम् ।। अर्थहानिः क्षुधापीडा, कायक्लेशश्च निगद्यते ॥ “ભાવથી રહિત દાનથી ધર્મ નથી થતો, કિંતુ ધનનો નાશ થાય છે. ભાવથી રહિત તપ ધર્મ નથી, કિંતુ ભૂખની પીડા છે, ભાવથી રહિત શીલ કાયકષ્ટ રૂપ છે.” (ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-૨૧૯) પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રીસિરિવાલ કહામાં પણ કહ્યું છે કેतत्थवि भावेण विणा, दाणं नहु सिद्धिसाहणं होई । सीलंपि भाववियलं, विहलं चिय होइ लोगंमि ॥ ३ ॥ भावं विणा तवो वि हु, भवोहवित्थारकारणं चेव ।। तम्हा नियभावुच्चिय, सुविसुद्धो होइ कायव्वो ॥ ४ ॥
“દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં ભાવની પ્રધાનતા છે. ભાવ વિના દાન સિદ્ધિસાધક થતું નથી. ભાવરહિત શીલ પણ નિષ્ફળ છે. ભાવ વિના તપ પણ સંસાર પરિભ્રમણનું કારણ છે. આથી પોતાના ભાવને સુર્વિશુદ્ધ કરવો જોઈએ.”
પ્રશ્ન– જો ભાવ વિના કરેલ તપ સંસાર પરિભ્રમણનું કારણ છે તો શાસ્ત્રોમાં રોહિણી આદિ તપો શા માટે બતાવવામાં આવ્યા છે? એ તપો દેવતાને ઉદ્દેશીને હોવાથી એમાંભાવની શુદ્ધિ (મોક્ષની ભાવના) હોતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org