________________
દેવ અધિકાર
૧૭
ઉત્તર– જીવો બે પ્રકારના હોય છે. મુગ્ધ અને સબુદ્ધિ. મુગ્ધ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ જ્ઞાનથી રહિત ભદ્રિક જીવો. સર્બુદ્ધિ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ બોધવાળા જીવો. રોહિણી આદિ તપોનું વિધાન મુગ્ધ જીવોને આશ્રયીને છે. જેમને મોક્ષ વગેરેનું જ્ઞાન નથી તેવા મુગ્ધ જીવો પ્રારંભમાં વર્તમાનકાલીન કોઇ આપત્તિનું નિવારણ, ઇષ્ટફળની પ્રાપ્તિ આદિના ધ્યેયથી તપ આદિ ધર્મમાં જોડાય છે. અર્થાત તેવા જીવો પ્રારંભમાં સંસારસુખ આદિની પ્રાપ્તિના આશયથી ધર્મમાં જોડાય છે. પણ પછી મોક્ષ આદિનું જ્ઞાન થતાં મોક્ષ માટે ધર્મ કરતા થઇ જાય છે. આથી રોહિણી આદિ તપો પણ નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકા૨નું કારણ બનતા હોવાથી હિતકર છે. કોઇક જીવો પહેલાં સંસારસુખની પ્રાપ્તિ આદિના આશયથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, પછી સમજુ બનીને મોક્ષ માટે ધર્મ કરે છે. (તપ પંચાશકના આધારે).
જે જીવો સબુદ્ધિ છે, એટલે કે તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરવો જોઇએ એવું સમજે છે, તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરે છે. જે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે છે એમ સમજવા છતાં મોહાધીન બનીને સંસારસુખના રાગથી કેવળ સંસારસુખ માટે જ કે બીજા કોઇ તેવા મલિન આશયથી તપ વગેરે ધર્મ કરે તો તેમને તે ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ બને. જેમ કે સંભૂતિમુનિએ નિયાણું કરીને તપ-સંયમને સંસાર પરિભ્રમણનું કારણ બનાવ્યું.
આમ ભાવ વિના તપ સંસાર પરિભ્રમણનું કારણ છે એ બરોબર છે, અને મુગ્ધ જીવો તપ વગેરે ધર્મ સંસારસુખ માટે કરે તો પણ તેમને તે ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ ન બને, બલ્કે પરંપરાએ મોક્ષનું કારણ બન્ને એ પણ બરોબર છે.
જૈન શાસન અનેકાંતવાદી છે. એટલે તેમાં કહેલ દરેક વિષયનો વિચાર એકાંતદૃષ્ટિથી ન કરતાં અનેકાંતષ્ટિથી કરવો જોઇએ. આમ કરવાથી ઉપર ઉપરથી વિસંવાદી દેખાતા વિધાનો વિસંવાદી નહિ દેખાય, કિંતુ સંવાદી દેખાશે. જ્યાં એકાંતવાદ છે ત્યાં વાદ-વિવાદ અને સંઘર્ષણ છે. જ્યાં અનેકાંતવાદ છે ત્યાં સમન્વય અને સંપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org