SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 9. = " •••••••••••••••.... ૧૪ - સંબોધ પ્રકરણ કરણોને કરીને સમ્યગ્દર્શન પામે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન વિના ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. આ ગાથામાં ભાવમોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે જણાવ્યું છે. ભાવમોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા માટે બાહ્ય-આંતર અધ્યાત્મયોગની સાધના કરવી જોઈએ. બાહ્ય-આંતર યોગની સાધના કરનાર જીવ તુરત કે વિલંબથી અવશ્ય ત્રણ કરણો દ્વારા સમ્યગ્દર્શન પામીને ભાવમોક્ષમાર્ગને પામે છે. (૬) तक्काइजोयकरणा, खीरं पयडं घयं जहा हुज्जा। मंथणजोए अग्गी, सदणुटाणे तहा अप्पा ॥७॥ तक्रादियोगकरणात् क्षीरं प्रगटं घृतं यथा भवेत् । મન્થનોરોનિઃ અનુષ્કાને તથાડડત્મા | ૭ | ......... ગાથાર્થ– જેવી રીતે તક્ર આદિનો યોગ કરવાથી દૂધ ઘી રૂપે પ્રગટ થાય, મન્થનના યોગથી અગ્નિ પ્રગટ થાય, તે રીતે સદનુષ્ઠાનથી આત્મા પ્રગટ થાય છે. વિશેષાર્થ– દૂધમાંથી દહીં, અને દહીંમાંથી તક બનાવવાથી માખણ દ્વારા ઘી બને છે. અહીં પૂર્વે જે દૂધ હતું તે જ ઘી રૂપે પ્રગટ થાય છે. ઘી નવું ઉત્પન્ન થતું નથી. તે જ રીતે સદનુષ્ઠાન કરવાથી કર્મમલિન આત્મા જ શુદ્ધ આત્મારૂપે પ્રગટ થાય છે. અરણિકાષ્ઠમાં અગ્નિ રહેલો હોય છે, પણ અપ્રગટ હોય છે. બે અરણિકાષ્ઠોને ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે. તે રીતે અસલમાં આત્મા શુદ્ધ છે=આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે. કર્મસંયોગ આદિથી આત્મા અશુદ્ધ બન્યો છે. સદનુષ્ઠાન કરવાથી કર્મસંયોગ આદિ દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. મોક્ષના આશયથી થતી ધર્મક્રિયા સદનુષ્ઠાન છે. આ ગાથાથી સદનુષ્ઠાનનું મહત્ત્વ જણાવ્યું છે. (૭) सो भावमुक्खमग्गो, परमप्पा हेउविरहिओ जत्थ । सुद्धसभावगुणाई, संमिलिओ पयडघयकप्पो ॥८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy