________________
દેવ અધિકાર
કરતાં તે જીવો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર રૂપ ભાવમોક્ષમાર્ગને અવશ્ય પામે છે. જે દ્રવ્યમોક્ષમાર્ગ ભાવમોક્ષમાર્ગનું કારણ ન બને તે અપ્રધાનમોક્ષમાર્ગ છે. અભવ્ય અને દુર્વ્યવ્ય જીવોને અપ્રધાનદ્રવ્યમોક્ષમાર્ગ હોય છે. કારણ કે એ જીવો દ્રવ્યથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરે છે. તેમની એ આરાધના ભાવ-દર્શન-જ્ઞાન-ચારિત્રનું કારણ બનતી નથી. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર એ ત્રણ ભાવમોક્ષમાર્ગ છે. ચારિત્રનું પાલન કરનારા સમ્યગ્દષ્ટિ જીવોને ભાવમોક્ષમાર્ગ હોય છે. (૫)
तत्थप्पभावमग्गो, साहिज्जइ पवरसुद्धकरणेहिं । बज्झतरप्पजोग-प्पओयणे परमपयडत्थं ॥ ६ ॥
६
तत्रात्मभावमार्गः साध्यते प्रवरशुद्धकरणैः । વાઘાન્તરાત્મયોગપ્રયોગને પરમાર્થમ્ । . । ................. ગાથાર્થ તે ચાર પ્રકારના મોક્ષમાર્ગમાં પરમપદ (=મોક્ષ)ને પ્રગટ કરવા માટે બાહ્ય અને આંતર 'અધ્યાત્મયોગથી (=બાહ્ય અને આંતર અધ્યાત્મયોગની સાધના કરતાં કરતાં) શ્રેષ્ઠ શુદ્ધકરણોથી આત્માનો ભાવમોક્ષમાર્ગ સાધી શકાય છે.
૧૩
વિશેષાર્થ— મોક્ષ માટે બાહ્ય ક્રિયાઓ કરવી તે બાહ્ય અધ્યાત્મયોગ છે. મોક્ષપ્રાપ્તિનો આંતરિક ભાવ એ આંતર અધ્યાત્મયોગ છે. આંતરિક અધ્યાત્મયોગપૂર્વક બાહ્ય અધ્યાત્મયોગ સાધતાં સાધતાં જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણો કરે છે. એ ત્રણે કરણોથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં ભાવમોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
......
પૂર્વે બીજી ગાથામાં કહ્યું તેમ ચ૨માવર્તમાં મોક્ષની ઇચ્છાવાળો બનેલો જીવ મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગવાળો બને છે. આ જીવને મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ હોવા છતાં હજી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ નથી. આ જીવ મોક્ષ મેળવવાના ભાવથી બાહ્ય ધર્મક્રિયા કરે છે. મોક્ષ મેળવવાના ભાવથી બાહ્ય ધર્મક્રિયાઓ કરતાં કરતાં એ જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ ૧. અહીં ગાથામાં સપ્તમી વિભક્તિ તૃતીયા વિભક્તિના અર્થમાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org