________________
૧૦ -
સંબોધ પ્રકરણ सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा, लहइ मुक्खं न संदेहो ॥३॥ श्वेताम्बरश्च आशाम्बरश्च बुद्धश्चाथवाऽन्यो वा। . સમભાવમવિતાત્મા તમને મોક્ષ ન : એ રૂ ....... .......
ગાથાર્થ– શ્વેતાંબર હોય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે અન્ય હોય, પણ જે સમભાવથી ભાવિત આત્મા છે તે નિઃસંદેહ મોક્ષને મેળવે છે. (સંબોધસિત્તરિ ગાથા-૨)
વિશેષાર્થ– મોક્ષનું મુખ્ય કારણ કર્મક્ષય છે. કર્મક્ષયનું મુખ્ય કારણ સમતા છે. આથી મોક્ષનું મુખ્ય કારણ સમતા છે. આ અંગે અધ્યાત્મસારમાં કહ્યું છે કે
उपायः समतैवैका, मुक्तेरन्यः क्रियाभरः । तत्ततत्पुरुषभेदेन, तस्या एव प्रसिद्धये ॥ २७ ॥
“મુક્તિનો ઉપાય એક સમતા જ છે. તે તે પુરુષના ભેદથી સર્વવિરતિ વગેરેની જે જે ક્રિયાઓ ભગવાને કહી છે, તે તે બધી ક્રિયાઓ સમતાની જ પ્રકૃષ્ટસિદ્ધિ માટે છે.”
ભગવાને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણને મોક્ષમાર્ગ કહ્યો છે. બૌદ્ધ વગેરે અન્યલિંગમાં અને ગૃહસ્થલિંગમાં પણ જીવો સિદ્ધ થાય છે. તેમનામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર દેખાતા નથી. તો એ જીવો કેવી રીતે સિદ્ધ થાય એ પ્રશ્ન થાય એ સહજ છે. આનું સમાધાન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસાર સમતા અધિકારમાં કર્યું છે. તે આ પ્રમાણે–
अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि । रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजैनता ॥ २३ ॥
“અન્યલિંગ આદિથી સિદ્ધ થયેલા જીવોની સિદ્ધિનો આધાર (હેતુ) સમતા જ છે.”
પ્રશ્ન- સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. જે જૈન બને, જે જિનની આજ્ઞા માને, તેનામાં જ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org