________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૨૯
આજ્ઞાને અનુસરતું હોય તે જ ધર્માનુષ્ઠાન આચરવું જોઇએ. ધર્માર્થીએ ઘણા લોકો શું કરે છે તે ન જોવું જોઇએ. કારણ કે આત્મકલ્યાણના અર્થી લોકો બહુ થોડા જ હોય છે.” (૯૫)
जह सीसाइ निर्कित, कोइ सरणागयाण जीवाण । तह गच्छ्मसारंतो, गुरू वि सुत्ते जओ भणिओ ॥ ९६ ॥ यथा शीर्षाणि निकृन्तति कोऽपि शरणागातानां जीवानाम् । तथा गच्छमसारयन् गुरुरपि सूत्रे यतो भणित: ॥ ९६ ॥ ........... 8 ગાથાર્થ— જેવી રીતે કોઇ શરણે આવેલા જીવોના મસ્તકોને કાપે છે, તેવી રીતે ગચ્છની સારણા ન કરનાર ગુરુ પણ તેવો છે. કારણ કે સૂત્રમાં આચાર્યને નીચેની ગાથામાં કહેવાશે તેવો કહ્યો છે. (૯૬)
उम्मग्गंमि पविट्टो, उम्मग्गपरूवओ सहायकरो । सुविहियजणपडिकूलो, आयरिओ वि तहा जाण ॥ ९७ ॥ उन्मार्गे प्रविष्ट उन्मार्गप्ररूपकः सहायकरः । સુવિહિતનનપ્રતિભૂત આવાૌંપિ તથા નાનીહિ ॥ ૬૭ | ............ ગાથાર્થ— ઉન્માર્ગ(=સૂત્રવિરુદ્ધ માર્ગ)માં પ્રવેશેલો, ઉન્માર્ગનો પ્રરૂપક, ઉન્માર્ગમાં સહાય કરનાર અને સુવિહિત સાધુઓને પ્રતિકૂળ, એવા આચાર્યને પણ તેવો (શરણે આવેલાઓના મસ્તકોને કાપનાર જેવો) તું જાણ. (૯૭)
जे लोइयकज्जरया, धणट्टिणो भत्तलोयकयथुणणा । सुविहियजणाण अहिया, ते पासंडा कुसीला य ॥ ९८ ॥ ये लौकिक कार्यरता धनार्थिनो भक्तलोककृतस्तवनाः । સુવિદિતનનાનામહિતાન્તે પાવડા: રુશીનાથ ॥ ૧૮ । ................. ગાથાર્થ— જેઓ લૌકિક કાર્યો કરવામાં રત છે, ધનના અર્થી છે, ભક્તલોકની પ્રશંસા (=ખુશામત) કરનારા છે, અને સુવિહિત લોકોનું (=શ્રમણોનું) અહિત કરનારા છે, તેઓ પાખંડી (=લોકમાં માનસન્માન મેળવવા માટે ધર્મનો ઢોંગ કરનારા) અને કુશીલ (=જિનોક્ત શ્રમણાચારોથી) રહિત છે. (૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org