SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ અવસ્થા (દેશોન એક કોડાકોડિ સાગરોપમ સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્ય જીવો આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ન કરી શકવાથી આગળ વધી શકતા નથી. માટે જ અભવ્યોને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. અભવ્યની જેમ 'દૂરભવ્યો પણ પુરુષાર્થ ન કરી શકવાથી અહીંથી આગળ વધી શકતા નથી. આથી દૂરભવ્યોને પણ એક યથાપ્રવૃત્તિકરણ જ હોય. ८ અપૂર્વકરણ— અપૂર્વકરણ એટલે અપૂર્વ વીર્યોલ્લાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ=પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવો પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કોઇક સત્ત્વશાળી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગદ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વીર્યોલ્લાસ પ્રગટે છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાના તીવ્રવીર્યોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તેવો વીર્યોલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્રવીર્યોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે' એમ કહ્યું છે. અનિવૃત્તિકરણ– અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. આનું ‘અનિવૃત્તિ’ એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફ૨ના૨. જે અધ્યવસાયો સમ્યક્ત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યક્ત્વ પામે છે. (પંચાશક ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધૃત) ૧. ચરમાર્વતમાં નહિ આવેલા જીવો દૂરભવ્ય કહેવાય છે. ૨. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા ફરતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy