________________
સંબોધ પ્રકરણ
૨૧૦
સંયમ કરતા નથી, તેઓએ કેવળ પૂર્વનું ઘર મૂકીને સાધુવેષના બહાનાથી ઘરનું સંક્રમણ કર્યું છે, એટલે કે નવા ઘરમાં પ્રવેશ જ કર્યો છે. (૩૧) (ઉપેદશમાળા-ગાથા-૨૨૦)
बायालमेसणाओ, न रक्खड़ धाइसिज्जपिंडं च । आहारेड अभिक्खं, विगईओ संनिहिं खायइ ॥ ३२ ॥
३७१
द्विचत्वारिंशदेषणा न रक्षति धात्री - शय्यापिण्डं च । आहरत्यभीक्ष्णं विकृतीः संनिधिं खादति ॥ ३२ ॥ ગાથાર્થ– જે બેંતાલીસ એષણાનું=આહારના દોષોનું રક્ષણ કરતા નથી, અર્થાત્ બેંતાલીસ દોષરહિત આહાર લેતા નથી. ધાત્રીલિંડ (છોકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી, તથા શય્યાતરપિંડ ગ્રહણ કરે છે, વળી જે કારણ વિના નિરંતર (વારંવાર) દૂધ, દહીં, ઘી વગેરે વિગઇનું ભક્ષણ કરે છે, તથા જે રાત્રિએ ખાય છે, અથવા લાવીને રાત્રિએ રાખી મૂકેલી વસ્તુનું દિવસે ભક્ષણ કરે છે, તે કુશીલ કહેવાય છે. (૩૨) (ઉપદેશમાળા-ગાથા-૩૫૪)
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडए अलसो ॥ ३३ ॥
सूर्यप्रमाणभोज्याहारत्यभीक्ष्णमाहारम् ।
न च मण्डल्यां भुनक्ति न च भिक्षां हिण्डतेऽलसः ॥ ३३ ॥
३७२
ગાથાર્થ— વળી જે સૂર્યપ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળો છે એટલે આખો દિવસ ખા ખા કરનારો છે, જે વારંવાર આહાર કરે છે અને જે સાધુની મંડળીમાં (સાથે) બેસીને ભોજન કરતો નથી, એટલે એકલો જ ભોજન કરે છે, તથા આળસુ એવો જે ભિક્ષાને માટે અટન કરતો નથી, એટલે થોડા ઘરેથી ઘણો આહાર ગ્રહણ કરે છે, તે કુશીલ છે. (૩૩) (ઉપદેશમાળા-ગાથા-૩૫૫)
कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिँडड़, बंधड़ कडिपट्टयमकज्जे ॥ ३४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org