SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૦૯ સુસાધુઓ કલિકાળમાં પણ યથાશક્તિ યતના કરે છે. આથી આહારવસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય વગેરે વિશુદ્ધ ગ્રહણ કરે છે. કુસાધુઓ આવા ધાર્મિક લોકોની નિંદા કરે છે. તે આ પ્રમાણે–આ સાધુઓ દંભી છે. શ્રાવકોએ સુસાધુઓની ભક્તિ કરવી જોઈએ, કુસાધુની નહિ, આહાર શુદ્ધ આપવો જોઈએ, ઇત્યાદિ ઉપદેશથી શ્રાવકોને છેતરનારા, શ્રાવકોને સાધુઓને દાન કરતા અટકાવે છે. આથી તમારે તેમનું વચન ન સાંભળવું. આ રીતે દાતાઓની પ્રશંસાથી અને ધાર્મિક લોકોની નિંદાથી કુસાધુઓ ઘણા લોકોને નરક વગેરે દુર્ગતિમાં લઈ જાય છે. (૨૮-૨૯) (દર્શનશુદ્ધિ પ્રકરણ, ગાથા-૯૩-૯૪) ૩૦ થી ૩૭ ગાથાઓ સુધી કુશીલોનું વર્ણન કરે છે– उदगपाणं पुप्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई। अजया पडिसेवंति, जइवेसविडंबगा नवरं ॥३०॥ उदक-पानं पुष्पफलमनेषणीयं गृहस्थकृत्यानि । મારા પ્રતિસેવો વેવિડન્ડા નવરમ્ II રૂ .............. ૩૬૬ ગાથાર્થ—અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્તજલનું પાન, જાત્યાદિ પુષ્પો, આમ્રાદિકનાં ફળો, અષણીય (આધાકર્માદિ દોષવાળો) આહારાદિક તથા વેપાર વગેરે શ્રાવકોનાં કાર્યો કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાધક નથી. (૩૦) (ઉપદેશમાળા-ગાથા-૩૪૯) जे घरसरणपसत्ता, छक्कायरिऊ असंजया अजया। नवरं मुत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥३१॥ ये गृहशरणप्रसक्ताः षट्कायरिपवः असंयता अयताः । નવરં મૂત્વા વૃદં પૃદયંગળ વૃત સૈઃ II રૂ8 II. .......... રૂ૭૦ ગાથાર્થ– જે સાધુઓ ગૃહ-ઉપાશ્રયાદિકને સજજ કરવામાં-મરામત કરાવવામાં-સંભાળવામાં આસક્ત છે, તે છકાય જીવના શત્રુ-દુશ્મન છે, એટલે કે પૃથિવ્યાદિક છ કાયના વિરાધના કરનારા છે. જે સાધુઓ દ્રવ્યાદિકના પરિગ્રહથી સહિત છે, તથા મન-વચન અને કાયાના યોગોનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy