________________
૨૦૫
ગુરુ અધિકાર વિભાગ-૧ ઉપનયઆ પ્રમાણે છે–ચંપકમાળા તુલ્યસાધુઓ અનેવિઝાતુલ્ય પાસસ્થાઓ છે. તેથી જે વિશુદ્ધ પણ સાધુ વિઝા તુલ્ય પાસત્યાદિની સાથે મળે કે રહે તે પણ ત્યાગ કરવા યોગ્ય બને છે. (૨૨) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૧૨૬)
पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । इअगरहिया सुविहिया, मज्झि वसंता कुसीलाणं ॥२३॥ पक्कणकुले वसन् शकुनिपारोऽपि गर्हितो भवति। તિ હિત સુવિહિતા: મધ્યે વસન્તઃ કુશીનાનામ્ II રર ... રૂદ્ર ગાથાર્થ નિંદકુલમાં રહેનાર ચૌદ વિદ્યાનો પારગામી પણ નિંદનીય બને છે. એ પ્રમાણે પાર્થસ્થાદિની સાથે રહેનારા સુસાધુઓ પણ નિંદનીય બને છે. વિશેષાર્થ– અહીં કથા આ પ્રમાણે છે–
એક બ્રાહ્મણના પાંચ પુત્રો ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમાંથી એક બ્રાહ્મણ એક દાસીમાં આસક્ત બન્યો. તે દાસી મદ્ય પીએ છે. બ્રાહ્મણ મદ્ય પીતો નથી. તેથી દાસીએ તેને કહ્યું: જો તું દારૂ પીએ તો આપણો પ્રેમ બરોબર થાય, અન્યથા આપણો સંબંધ રસ(પ્રીતિ) વિનાનો થાય. આમ તેણે અનેકવાર કહીને તેને મદ્ય પીવડાવ્યું. પહેલાં તો તે છૂપી રીતે પીવા લાગ્યો, પણ પછી પ્રગટપણે પીવા લાગ્યો. પછી તેના અતિસંબંધથી (સેવનથી) માંસનું પણ સેવન કરનારો બન્યો. ચંડાળોની સાથે ફરવા લાગ્યો. પછી તો તેમની સાથે જ ખાય છે, પીએ છે અને રહે છે. તેથી તેના પિતાએ અને સ્વજનોએ તેને બધાથી (સંબંધથી) બહાર કર્યો, અને ઘર વગેરેમાં પેસવા ન દીધો. તેથી એકવાર તે હતાશ બની ગયો. ત્યારે તેનો બીજો ભાઈ સ્નેહથી તેની ઝૂંપડીમાં આવીને તેને (જરૂરિયાત આદિ) પૂછે છે અને કંઈક ધનાદિ આપે છે. પિતાએ તેને ( બીજા ભાઈને) પણ ઠપકો આપીને કાઢી મૂક્યો. ત્રીજો ભાઈ બહાર શેરીમાં ઉભો રહીને પૂછે છે અને કંઈક આપે છે. તેને પણ પિતાએ ઘર બહાર કાઢી મૂક્યો. ચોથો ભાઈ પરંપરાએ (બીજાઓ દ્વારા) અપાવે છે. તેને પણ કાઢી મૂક્યો. પાંચમો તો તેની ગંધ પણ ઈચ્છતો નથી. તેથી તેના પિતા બ્રાહ્મણે ૧. શનિશાન તુર્વાધિદાસ્થાનાનિ પરિવારને (ગુ.ત.વિ.ઉ.૨. ગા-૧૨૭ની ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org