________________
૨૦૨
સંબોધ પ્રકરણ
ઉત્તર- ભેદ રહે છે. કારણ કે જેનો સંસર્ગ થાય તેનો સ્વભાવ પોતાનામાં લેવો એ જ સંસક્તના સામાન્ય લક્ષણનું તાત્પર્ય છે. કહ્યું છે કે
एमेव य मूलुत्तरदोषा य गुणा य जत्तिया केई । ते तम्मि उ संनिहिया, संसत्तो भन्नई तम्हा ॥
(પ્ર.સા. ગાથા-૧૧૭)
“ગાયોને ખવડાવવાના કડાયામાં નાખેલું ભોજન અને ખલ વગેરેની જેમ મૂલગુણો અને ઉત્તરગુણો હોય, તથા તેનાથી વિપરીત ઘણા દોષો પણ બધાય તેમાં રહેલા હોય છે. માટે તે સંસક્ત કહેવાય છે.” આ ગાથાથી સંસક્તમાં મૂલોત્તર ગુણોનું અને દોષોનું પણ અસ્તિત્વ યથાસંભવ વિચારવું.
અસંક્લિષ્ટ સંસક્તનું વર્ણન કર્યું. હવે સંક્લિષ્ટ સંસક્તનું વર્ણન કરે છે– જેહિંસાદિ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ઋદ્ધિ-રસ-શાતા એત્રણ ગારવોથી પ્રતિબદ્ધ, ગૃહસ્થોમાં અને સ્ત્રીઓમાં પ્રતિબદ્ધ હોય, જેનો સંસર્ગ થાય તેના દોષો જ પોતાનામાં લેવાના સ્વભાવવાળો હોવાથી તે સંક્લિષ્ટ સ્વરૂપ સંસક્ત છે. કારણ કે તે તેવા પ્રકારના કુમિત્ર વગેરેના સંસર્ગથી કુમિત્ર વગેરેમાં રહેલા દોષોનું જ પોતાનામાં સંક્રમણ કરવાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે, ગારવમાં મગ્ન બનેલા પરિજનાદિના સંસર્ગથી ગારવમાં પણ મગ્ન બને, ગૃહસ્થો અને સ્ત્રીઓના સંસર્ગથી તેમનાં ઘરનાં કાર્યો કરે, અને કામચેષ્ટા વગેરે પણ કરે. (૧૮) (ગુ.ત.વિ.ઉ.૩. ગાથા-૯૭-૯૮) उस्सुत्तमणुवइट्टं, सच्छंदविगप्पियं अणणुवाई | परततिं पवत्ते तिंतिणे य इणमो अहाछंदो ॥ १९ ॥
उत्सूत्रमनुपदिष्टं स्वच्छन्दविकल्पितमननुपाति । परतप्तिं प्रवृत्तस्तिन्तिणश्च एषो यथाच्छन्दः ॥ १९ ॥
३५८
ગાથાર્થ— (અનુવૃષ્ટિ=) તીર્થંકર વગેરેએ જેનો ઉપદેશ આપ્યો ન હોય, તેથી જ (અનનુપાતી=) જે સિદ્ધાંતની સાથે ઘટતું ન હોય, તેથી જ (સ્વચ્છવિલ્પિતં=) જે સ્વેચ્છાથી કલ્પેલું હોય, તેવું ઉત્સૂત્ર આચરે અને પ્રરૂપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org