________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૦૧
સમાન જાણવો. જેમ નટ રંગભૂમિમાં પ્રવેશ કરીને કથા (પ્રસંગ) પ્રમાણે તે તે રૂપ કરે છે, તેમ પાસસ્થાદિની સાથે મળે તો પાસસ્થાદિ જેવો અને સંવિગ્નાદિની સાથે મળે તો સંવિગ્ન જેવો બની જાય, આવો સંસક્ત નટ સમાન છે. જેમ ઘેટો લાક્ષારસમાં પડે તો લાલરંગવાળો બની જાય, અને ગળીના કુંડમાં પડે તો ગળીના (=આસમાની) રંગ જેવો બની જાય, તેમ સંસક્ત પણ સંવિગ્નની સાથે મળે તો શુભ આશયવાળો અને અસંવિગ્નની સાથે ભળે તો અશુભ આશયવાળો બની જાય, તે ઘેટા સમાન છે. વળી સંસક્તના અસંક્લિષ્ટ અને સંક્લિષ્ટ એમ પણ બે પ્રકારો છે. (૧૭)
सो संसत्तो दुविहो, देसे सव्वे य इत्थ नायव्वो । अहच्छंदो वि पंचम अणेगविहो होइ नायव्वो ॥ १८ ॥
स संसक्तो द्विविधो देशे सर्वस्मिश्चात्र ज्ञातव्यः । यथाच्छन्दोऽपि पञ्चमोऽनेकविधो भवति ज्ञातव्यः ॥ १८ ॥ ..... ૧૭ ગાથાર્થ— દેશથી અને સર્વથી એમ સંસક્તના બે પ્રકાર છે. પાંચમો યથા ંદ પણ અનેક પ્રકારનો જાણવો.
વિશેષાર્થ અહીં સંસક્તના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર જણાવ્યા છે. પણ બીજા કોઇ ગ્રંથમાં સંસક્તના આવા બે પ્રકાર જણાવવામાં આવ્યા નથી. સંસક્તના સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ એવા બે પ્રકાર પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
જે પાર્શ્વસ્થ આદિમાં ભળે તો પાર્થસ્થાદિ જેવો જ બને, અને ધર્મપ્રિયોમાં(=સંવિગ્નોમાં) ભળે તો ધર્મપ્રિય બને તે સંસક્ત અસંક્લિષ્ટ છે. કારણ કે જેના સંસર્ગમાં આવે તેના ગુણ-દોષને પોતાનામાં લેવાનો સ્વભાવ એ અસંક્લિષ્ટનું લક્ષણ છે. કોઇમાં કેવળ દોષોનું જ સંક્રમણ થાય તેવા સ્વભાવની અપેક્ષાએ દોષ-ગુણ ઉભયનું સંક્રમણ થાય તેવા સ્વભાવવાળો લોકમાં અસંક્લિષ્ટ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. પરમાર્થથી ગુણોને ગ્રહણ ન કરે પણ માત્ર દોષોનો હ્રાસ થાય તો પણ ગુણ કહેવાય. પ્રશ્ન– આ રીતે તો સંસક્તના સામાન્ય લક્ષણમાં અને અસંક્લિષ્ટ સંસક્તના લક્ષણમાં ભેદ રહેતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org